સાવરકુંડલા તાલુકાના આદસંગમા રહેતા એક યુવક અને તેના પત્ની ગામમા કારજના જમણવારમા ગયા હતા. જો કે પત્ની ઘરે મોડી આવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો જેને પગલે યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.યુવકના આપઘાતની આ ઘટના સાવરકુંડલા તાલુકાના આદસંગમા બની હતી. અહી રહેતા કાળુભાઇ પ્રાગજીભાઇ ભાલીયા (ઉ.વ.39) નામના યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતુ.
બનાવ અંગે મૃતક યુવકના ભાઇ બાબુભાઇએ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા જણાવ્યું હતુ કે ગામમા કારજનુ જમણવાર હોય તેના ભાઇ કાળુભાઇ અને ભાભી નીતાબેન જમવા આવ્યા હતા. જો કે નીતાબેન જમણવારમાથી ઘરે મોડા પહોંચ્યા હતા જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે કાળુભાઇએ ઝેરી દવા પી લઇ આપઘાત કરી લીધો હતો.
Recent Comments