પાકિસ્તાની જેલમાંથી મુક્ત થઈને આવેલા માછીમારોએ પોતાની આપવિતી જણાવી

પાકિસ્તાન જેલમાંથી હાલમાં જ મુક્ત થઈ ભારતના ૧૯૮ પેકીના ગુજરાતના ૧૮૪ માછીમારો માદરે વતન પહોંચ્યા છે. જાે કે, હજુ પણ ૪૫૦થી વધુ માછીમારો પાક જેલમાં કેદ છે. પાકિસ્તાનથી મુક્ત થઈ ગીરના કોડીનારના કોટડા ગામે આવેલા માછીમારોએ મોટો ખુલાસ કર્યો છે. તેમનું કહેવું છે કે ૧૯૯ ભારતીય માછીમારો મુક્ત થવાના હતા જેમાં ૧૮૫ ગુજરાત ના હતા. પરંતુ આ ગણતરીમાં એક માછીમાર ઓછો થયો જેનું કારણ છે તે પાક કેદમાંથી મુક્ત થાય તે પહેલાં જ જીવ મોતને ભેટ્યો. જેના કારણે તેનું લિસ્ટમાંથી નામ કમી થયું.
કોટડાના સાથી માછીમાર નરસિંગભાઈના જણાવ્યા મુજબ તેમના જ ગામના સાથી માછીમાર મુક્ત થવાના ૫ દિવસ પહેલા જ બ્રેન એટેક આવ્યો અને તેમને હોસ્પિટલે ખસેડાયા. તેઓ હોસ્પિટલેથી ફરી જેલ ન આવાયો કે ન તો સાથે ભારત. તેમની પૂછપરછ જેલ સત્તાધીશોને કરતા જાણવા મળ્યું કે તેનું મોત થયુ છે અને હવે તે ભારત નહિ આવી શકે. તેમનો મૃતદેહ અહીંના કાયદા કાનૂન મુજબ થયા બાદ ડેથ બોડી મોકલી આપાશે
કોટડા ગામના જ અન્ય એક માછીમાર જે પાકથી મુક્ત થઈ માદરે વતન પહોંચ્યા તે સાગર નામના માછીમારે બીજાે મોટો ખુલાસો કર્યો છે. તેમને જણાવ્યું કે ૨૨ માછીમારો જેલની અંદર બીમાર છે જેમાં પેરાલિસિસ અને હૃદય રોગના હુમલા પણ અમુક માછીમારોને આવ્યા છે. આવા બીમાર માછીમારોને ત્યાંની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ તેની સાર સંભાળ જેલની અંદરના સાથી માછીમારો રાખી રહયા છે. પાકિસ્તાનમાં ટોટલ બે ડેડ બોડી છે એક જુલ્ફીકાર કરી ને છે જે ગુજરાત બહારનો વ્યક્તિ છે અને બોર્ડર ક્રોસના ગુનામાં જેલમાં હતો જેનું મોત થયુ અને બીજાે અમારા ગામનો સાથી માછીમારનો મૃતદેહ છે.
Recent Comments