સૌરાષ્ટ્રના ડેમમાં પાણી ખાલી થવાના આરે છે. ઉનાળામાં પાણીની માંગ હોવાથી ડેમો ખાલી થયા છે. સૌરાષ્ટ્રમાં 141 ડેમોમાં માત્ર 29 ટકા જ પાણી બચ્યું છે. સૌરાષ્ટ્રમાં એક સાથે અનેક ગામમાંથી પાણી માટેની ફરિયાદ સામે આવી રહી છે અનેક ગામોમાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે. રાજકોટ જિલ્લાના 15થી વધુ ગામોમાં ટેન્કર પહોંચાડવામાં આવી રહ્યા છે. ભર ઉનાળે સૌરાષ્ટ્રના ડેમ ખાલી થઈ ગયા છે. ત્યારે આગામી સમયમાં ચોમાસાની જાણે રાહ જોવાતી હોય તેવું લાગી રહ્યું છે. તંત્ર દ્વારા અત્યારે ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના ડેમોના પાણી તળિયાઝાટક જોવા મળ્યુ છે. સુરેન્દ્રનગરમાં 19%, જામનગરમાં 20%, બોટાદમાં 7 ટકા ટકા જ્યારે રાજકોટમાં 38% દ્વારકામાં 3% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉનાળાની અંદર તંત્ર દ્વારા પાણી પહોંચાડવાનું મુશ્કેલ સાબિત થઇ રહ્યું છે. સિંચાઇ અને પીવાના પાણીની સતત જરૂર પડી રહી છે ત્યારે સૌરાષ્ટ્રની અંદર આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઇ છે વહેલું ચોમાસુ આવવાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર વાસી વહેલા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
Recent Comments