સમગ્ર રાષ્ટ્રમાં અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. નજીકના દિવસોમાં ૧૫ મી ઓગષ્ટનો રાષ્ટ્રીય તહેવાર દસ્તક દઇ રહ્યો છે. આ અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહ્વવાન પર સમગ્ર દેશમાં તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન ગુજરાતના ૧ કરોડ ઘર અને કચેરી પર તિરંગો લહેરાવl ‘હર ઘર તિરંગા’ ની ઉજવણી કરવામાં આવનાર છે.
દેશની આઝાદીના ૭૫ માં અમૂલ્ય અવસર પર સમગ્ર રાષ્ટ્ર દેશભક્તિથી તરબોળ બનવાં જઇ રહ્યો છે. જેમાંથી શાળાઓ અને ભારતના ભાવી નાગરિકો એવાં વિદ્યાર્થીઓ પણ બાકાત નથી. વિદ્યાર્થીઓ પર ‘માં’ ભારતીના ગર્વનો આ અવસર આન, બાન અને શાન સાથે ઉજવાય તે માટે ઉત્સાહિત અને લાલાયિત છે.
અત્યારે રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં બાળ મેળો અને લાઈફ સ્કિલનું આયોજન થઈ રહ્યું છે. જેમાં ’હર ઘર પે તિરંગા’ નું આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત થીમનું પણ આયોજન સમાવિષ્ટ છે.
ત્યારે પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં પણ ધોરણ- ૧ થી ૮ માં બાળમેળો અને લાઈફ સ્કિલ અંતર્ગત બાળકોને આનંદની પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ’હર ઘર તિરંગા’ની થીમ પર ’હર ગાલ પે તિરંગા થીમ’ આ કાર્યક્રમનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
જેમાં શાળાના શિક્ષકશ્રી નાથાભાઇ ચાવડાએ શાળાના ૧૭૫ બાળકોના ગાલ પર ’તિરંગા’નું ટેટુ બનાવીને હર ગાલ પર તિરંગા દ્વારા તેની ઉજવણી કરી હતી.
સામાન્ય રીતે વિદેશના લોકો પોતાના ગાલ અને શરીર પર પોતાના દેશનો રાષ્ર્ંધ્વજ ચિતરાવીને પોતાનું દેશાભિમાન પ્રગટ કરતાં હોઇએ છીએ. ત્યારે આ ચાલમાં આપણો દેશ પણ કેમ પાછળ રહી જાય. શાળાના વિદ્યાર્થીઓ કે જેઓ આવતીકાળના ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે તેમનામાં પણ રાષ્ટ્ર પ્રત્યેની પ્રિતિ જન્મે તેવાં ભાવ સાથે ઝવેરચંદ મેઘાણી શાળાના ૧૭૫ વિદ્યાર્થીઓના ગાલ પર ’તિરંગા’નું પ્રતિક દોરીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરીને અમે પણ પાછળ કંઇ પાછળ નથી તેની પ્રતિતિ આ શાળાના બાળકોએ કરાવી હતી.
Recent Comments