અંબરીષ ડેરના વિધાનસભા મત વિસ્તારમાં અસંખ્ય ખેડૂતોએ ખેતીવાડીના નવા કનેક્શન માટે માંગણી કરેલ અને તેઓના નવા ખેતીવાડી કનેક્શન ઘણા સમયથી મંજૂર પણ થયેલ છે અને ખેડૂતો એ નવા કોટેશન ના રૂપિયા પણ સરકારમાં ભરી આપેલ છે . ખેડૂતો ની માંગણી વાળા સ્થળ ઉપર વીજ વાયર પોલ કે ટ્રાન્સફોર્મર ઉભા કરવાની કામગીરી માણસો ની તંગી ના કારણે ધીમી ગતી એ કામ ચાલી રહ્યું છે એવું જાણવા મળેલ છે . હાલ વરસાદની તંગી હોય અને ખેડૂતોનો શિયાળુ પાક સુકાઈ રહ્યો હોય જેથી મારા મત વિસ્તારના ખેડૂતો પી.જી.વી.સી.એલ કચેરી માં ખેતીવાડીની લાઈન ઊભી કરવા માટે ધક્કા ખાઈ રહ્યા હોય તો આપ સાહેબને તાકીદે વધુ માણસોની ટીમ મૂકી અને ખેડૂતોને તાકીદે ખેતીવાડીનો પાવર ચાલુ કરાવવા ઉર્જા મંત્રીને અને સંલગ્ન અધિકારીઓને સૂચના આપવા વિનંતી કરી છે.
પી.જી.વી.સી.એલ ના નવા કોટેશન કાઢેલા ખેડૂતોને વીજપોલ વાયર ટ્રાન્સફોર્મર તાકીદે ઊભા કરવા : અંબરીષ ડેર

Recent Comments