ભવિષ્યમાં, આગામી તકનીકી અને વૈજ્ઞાનિક કામગીરીમાં સમાન સ્તરે અને સફળતાની વધુ ઊંચાઈઓ સુધી પહોંચવાના વિઝન સાથે, ભારત આજે એટલે કે ૧૧ મેના રોજ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસની ઉજવણી દેશભરમાં કરે છે. નેશનલ ટેકનોલોજી ડે ભારત રત્ન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સર પોખરણની અંદર અણુ પરીક્ષણ કરી અને ભારતને પરમાણુ સક્ષમ રાષ્ટ્ર બનાવ્યું તેમની યાદમાં નેશનલ ટેકનોલોજી છે ઉજવવામાં આવે છે. આપણે મેળવેલી મહાન આઝાદી પછી, ભારતે જે ક્ષેત્રોમાં મોટો વિકાસ અને અભૂતપૂર્વ વૃદ્ધિ જાેઈ છે, તેમાંનું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેકનોલોજી. આ ક્ષેત્રની વિવિધ પ્રગતિ સાથે, ભારત આવનારા ભવિષ્યમાં સંભવિત મહાસત્તા છે તેવા દેશોની યાદીમાં આગળના માર્ગે છે.ભારત ૧૧ મેના રોજ એટલે કે આજના દિવસે રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસની એટલે કે ‘દ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ્ીષ્ઠરર્હર્ઙ્મખ્તઅ ડ્ઢટ્ઠઅ’ની ઉજવણી કરે છે. કારણ કે, આજના દિવસે ૧૯૯૮માં ભારતને પ્રખ્યાત પોખરણ પરમાણુ પરીક્ષણોમાં સફળતા પ્રાપ્ત થઇ હતી. આ સફળ પરીક્ષણ પૂર્ણ કર્યા પછી, ભારતના તત્કાલિન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભારતને પરમાણુ રાજ્ય જાહેર કર્યું હતું. આ મિશનનો કોડ ‘ઓપરેશન શક્તિ’ હતું.
વૈશ્વિક સ્તરે ‘પરમાણુ ક્લબ’ના અન્ય ૫ વર્તમાન સભ્યોએ તેના પ્રચારનો વિરોધ કર્યો હતો. તેથી આ મિશન એક ખાસ કોડ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ ખાનગી મિશનની સફળતાને ભારતની વૈજ્ઞાનિક સફળતાની સફરમાં ખરેખર એક મોટો સીમાચિહ્ન માનવામાં આવે છે. આજથી ૨ દાયકા પહેલાં, આ મિશન હાથ ધરવા માટે ભારત સંપૂર્ણપણે સજ્જ નહોતું. પોખરણ પરમાણુ પરીક્ષણો દરમિયાન જે સંજાેગો હતા, તેની સફળતાએ દેશનું માન સન્માન વિશ્વસ્તરે વધારી દીધુ હતું.
ભવિષ્યમાં, આગામી તકનીકી અને વૈજ્ઞાનિક કામગીરીમાં સમાન સ્તરે અને સફળતાની વધુ ઊંચાઈઓ સુધી પહોંચવાના વિઝન સાથે, ભારત આજે એટલે કે ૧૧ મેના રોજ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસની ઉજવણી દેશભરમાં કરે છે.ત્યારે અમરેલીની ડો. કલામ ઈનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીઓ શાળા જીવનમાં જ વિજ્ઞાન અને ટક્નોલોજીની ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધી મેળવી અને કલામ સહેબના સ્વપ્નને સાર્થક કરી રહ્યાં છે.આ શાળાના વિદ્યાર્થીઓ એક દીવસ માટે જ નહિ, કલામ સાહેબના ચિંધેલા માર્ગ પર ટેકનોલોજીની દિશામાં અગ્રેસર થઈ રહ્યા છે. આ શાળાના વિદ્યાર્થીઓ રોબોટ્સ અને ડ્રોન જાતે બનાવે છે. આ શાળાના વિદ્યાર્થીઓ પોતાનાં ઘરને પ્રયોગશાળા બનાવી અને પોતે બાળ વૈજ્ઞાનિક બની બધાજ પ્રયોગ જાતે કરે છે.અહીંના વીદ્યાર્થીઓ પ્લાઝમા રીસર્ચ સેન્ટરના વૈજ્ઞાનીકો સાથે કાર્ય કરી ૪૦૦૦ વીદ્યાર્થીઓને પ્લાઝમા વિશે સમજ આપી ચૂક્યા છે. આ શાળાના ૩ વીદ્યાર્થીઓ દ્ગછજીછની એસ્ટરોઇડ સ્પર્ધામાં એસ્ટરોઇડ શોધીને અમરેલી થી અમેરીકા સુધી પોતાની ટેક્નોલોજીની પ્રતિભા દર્શાવી ચૂક્યા છે. જેમને આપણે મિસાઇલ મેન તરીકે ઓળખીયે છીએ તેવા ભારતરત્ન લોકોના વૈજ્ઞાનિક મિસાઇલમેન ડો. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબને આ શાળાના વિધાર્થીઓ દ્વારા ૨૦૦૦ મિસાઇલ બનાવીને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આમ કલામ સાહેબ પોખરણ પરમાણુ પરીક્ષણના મુખ્ય નાયક હતા અને ભારતદેશને પરમાણુ પરીક્ષણ કરીને ટેક્નોલોજી અને વિજ્ઞાનની દુનિયામાં સમગ્ર વિશ્વમાં ભારતને શક્તિશાળી રાષ્ટ્ર બનાવવામાં પોતાનુ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું તે જ રીતે ડો. કલામ ઈનોવેટિવ સ્કૂલનાં વીદ્યાર્થીઓ એટલે કે ભારત દેશનું ભવિષ્ય શાળા જીવનમાં ટેક્નોલોજીની દુનિયામાં કલામ સાહેબ દ્વારા બતાવેલા રસ્તા પર અગ્રેસર થઈ રહ્યા હોય ત્યારે ટેક્નોલોજી દીવસની આનાથી વિશેષ ઉજવણી બીજી શુ હોય શકે?
Recent Comments