બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી જળ સંરક્ષણ અભિયાન ની કામગીરી ખૂબ મોટો સહકાર આપનાર પથદર્શક પ્રેરણામૂર્તિ મુખ્ય દાતા શ્રી ઉન્મેષભાઈ મશરૂવાળા નું મુંબઈ ખાતે તારીખ ૨૩ એપ્રિલ ના રોજ દેહાવસાન થયેલ એ સ્વ ઉન્મેષભાઈ મશરૂવાળા જળ સંસાધન માટે ઉદારતા નું અજવાળું સદેહ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ તેમના સદકર્મો અને પ્રેરણા સમસ્ત માનવ સમાજ ને પ્રેરણાત્મક રહેશે સદગત ને ભાવ વંદના કરતા પાણી સમિતિ જુનાઝાઝરીયા ના સભ્યો તથા સંસ્થા ના કાર્યકરો દ્વારા આજે મશરૂવાળા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરાય હતી
બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉદાર દિલ જળસંરક્ષણ ના દાતા ઉન્મેષભાઈ મશરૂવાળા નું મુંબઈ ખાતે દેહાવસાન થતા શ્રદ્ધાંજલિ અપાઈ

Recent Comments