ગુજરાત

બનાસકાંઠામાં કોરોના પોઝીટીવ કેસોની સંધ્યામાં ઘટાડો

બનાસકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થતો જાેવા મળી રહ્યો છે. જિલ્લામાં ૧૩૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર હરકતમાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આરટીપીસીઆર ૨૨૩૯ અને એન્ટીજન ૯૮૮ ટોટલ ૩૨૨૭ જેવા ટેસ્ટ કરતા ૧૩૬ કોરોના પોઝિટિવ કેસ સાથે નોંધાયા છે. અમીરગઢમાં ૦૨, ભાભરમાં ૦૩, દાંતામાં ૧૨, દાંતીવાડામાં ૦૬, ડીસામાં ૧૪, ધાનેરામાં ૦૨, કાંકરેજમાં ૦૯, પાલનપુરમાં ૬૯, સુઈગામમાં ૦૧, થરાદમાં ૦૮, વડગામમાં ૦૮, વાવમાં ૦૨ સહિત જિલ્લાના ૧૨ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ૧૬૬ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

જાે કે જિલ્લામાં કુલ એક્ટિવ કોરોના પોઝિટિવ કેસ ૧૦૫૨ થયા છે. એક્ટિવ કેસ ની સંખ્યા તાલુકા પ્રમાણે જાેઈએ તો અમીરગઢમાં ૦૫, ભાભરમાં ૧૫, દાંતામાં ૬૨, દાંતીવાડામાં ૫૦, ડીસામાં ૨૬૬, દિયોદરમાં ૧૭, ધાનેરામાં ૪૭, કાંકરેજમાં ૩૩, લાખણીમાં ૧૬, પાલનપુરમાં ૪૨૩, સુઈગામમાં ૦૪, થરાદમાં ૩૩, વડગામમાં ૪૬, વાવમાં ૩૫ કેસ ૧૪ તાલુકામાં એક્ટિવ છે.બનાસકાંઠા જિલ્લામાં ૧૩૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થતો જાેવા મળી રહ્યો છે. જેના પગલે જિલ્લામાં ટોટલ એક્ટિવ કેસનો આંક ૧૦૫૨ પર પહોંચ્યો છે.

Related Posts