દેશમાં રોજબરોજ રેપના કિસ્સાઓ બનતા હોય છે. તેમાં ખાસ કરીને નાની બાળા ઉપર રેપનાં કિસ્સાઓ દિવસે દિવસે વધતા રહે છે. ત્યારે સાવરકુંડલામાં તા.ર1/પ/ર0ર0ના રોજ એક ત્રણ વર્ષની માસુમ બાળાનું અપહરણ કરી રાત્રીના સમયે અવાવરૂ જગ્યામાં રેપનો બનાવ બનેલ હતો.
આ બનાવની વિગત એવા પ્રકારની છે કે, એક ત્રણ વર્ષની દિકરી તેના માતા-પિતા સાથે ઝુંપડપટ્ટીમાં સુતી હતી ત્યારે રાત્રીના સમયે આ ત્રણ વર્ષની દિકરીને કોઈ નરાધમ વ્યકિત પોતાની હવસ સંતોષવા ખરાબ કૃત્ય કરવાના ઈરાદે ઉપાડી ગયેલ અને ત્યારબાદ આ કામના ફરીયાદી દિકરીનાં માતા તથા દિકરીના પિતાએ તપાસ કરતા આ દિકરી તેમનાં રહેણાંક ઝુંપડપટ્ટીની આજુબાજુમાંથી કયાંય મળેલ નહી. ત્યારબાદ તેઓએ વિશેષ તપાસ કરતા આ દિકરી મોટા ઝીંઝુડા ગામેથી મળી આવેલ અને તે ભોગ બનનાર દિકરીના કપડા લોહીલુહાણ હતા અને કોઈ અજાણ્યા ઈસમે માસુમ બાળા ઉપર નરાધમ કૃત્ય કરેલ હોવાનું જણાતા અમરેલી એસ.પી. નિર્લિપ્ત રાયના સીધા માર્ગદર્શન નીચે સઘન તપાસ શરૂ કરેલી અને બનાવના સ્થળની આજુબાજુમાંથી તથા બનાવમાં ખુલ્લે વાહન સંદર્ભ જીણવટ ભરી તપાસ કરતા એસ.પી.ના માર્ગદર્શન નીચે સાવરકુંડલા ટાઉન પી.આઈ. વસાવા તથા તેમની ટીમે આરોપી રાજુ ઉર્ફે રાજુ કડી નારણભાઈ માંગોરળીયાની ધરપડક કરેલી અને પોલીસે આ કામના આરોપીઓ સામે ભારતીય ફોજદારી ધારાની કલમ 363, 366, 376(એ)(બી), 377 તથા પોકસો એકટની કલમ 4,6,8,10 વિગેરે મુજબનો ગુન્હો દાખલ કરેલ અને ત્યારબાદ તપાસના અંતે આ કામે ચાર્જશીટ કરેલ છે.
આ કેસમાં ત્રણ વર્ષની બાળકી ભોગ બનેલ હોય અને સરકારે બનાવની ગંભીરતાને ઘ્યાને લઈ આ કામે સ્પેશ્યલ પી.પી.તરીકે ગુજરાત સરકારના લીંગલ ડીપાર્ટમેન્ટ દ્વારા ગુજરાત સરકાર તરફથી અમરેલીના સીનીયર અને બાહોંશ એડવોકેટ ઉદયન ત્રિવેદીની ખાસ સરકારી વકીલ તરીકે નિમણુંક કરવામાં આવેલી. આ બનાવની કરૂણા અને ગંભીરતા જોતા સીનીયર એડવોકેટ ઉદયન ત્રિવેદીની ધારદાર દલીલો અને હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ કરી આ નરાધમ રાજુ કડીને ફાંસીની સજા મળે અને આવું કૃત્ય કરતા પહેલા કોઈપણ આરોપી થરથર કાપે તેવી રીતેસીનીયર એડવોકેટ ઉદયન ત્રિવેદીએ દલીલો રજુ કરતા કેસ ચાલ્યાનાં ટુંકા ગાળામાં અમરેલીના મ્હે.સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ આર.આર. દવેએ આરોપી રાજુ કડીને ભારતીય ફોજદારી ધારાની કલમ 363, 366, 376(એ)(બી), 377 તથા પોકસો એકટની કલમ 4,6,8,10 વિગેરે મુજબ કસુરવાર ઠરાવેલ છે. તેમજ તા.31/3/ર0ર1 માટે સજાનો હુકમ મુલ્તવી રાખેલ છે. આ સમગ્ર કેસની તપાસ કરનાર પી.આઈ.વસાવા તથા તેના રાઈટર જયદિપસિંહ ગોહિલ તથા સ્ટાફે સારી મહેનત કરેલી તેમજ સખી વનસ્ટોપ સેન્ટરના લાજવંતીબેન બધેકા તથા નયનાબેન પણ બાળકીની સારવાર સારી જહેમત માટે ઉઠાવેલી.
તો હવે જોવાનું એ રહયું કે તા.31/3/ર0ર1 ના રોજ શું સજા ફટકારે છે ? આવા આરોપીઓને એવી દંડનીય સજા ફટકારવી જોઈએ જેથી આવું કૃત્ય કરતા પહેલા તમામ આરોપીઓ સો-વાર વિચોર અને રેપની સજામાં સખ્ત સજાનો દાખલો બેસાડવો જોઈએ એવી લોકલાગણી છે. જયારે દિવસ દિવસે નાની બાળાઓ ઉપર બળાત્કારના કિસ્સા ગુજરાત રાજયમાં તથા ભારત દેશમાં વધી રહયા છે. ત્યારે અદાલતનો દાખલો બેસાડતો હુકમ જ આવા કૃત્ય અટકાવી શકે તેમ છે.
Recent Comments