અમરેલી

બાગાયત કચેરી અમરેલી દ્વારા “બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ” પરિસંવાદ યોજાયો

બાગાયત કચેરી અમરેલી દ્વારા જિલ્લાના જાફરરાબાદ તાલુકાના મોટા માણસા અને કુંકાવાવ-વડીયા તાલુકાના કોલડા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ” પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. તેમાં ખેડુતોએ ઉત્સાહભેર ભાગ લઇ બાગાયતી ખેતી વિશે માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું. ખેડુતોને બાગાયતની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ખેતીવાડી વિભાગ, લીડ બેંક તેમજ સ્થાનિક પ્રગતિશિલ ખેડુતો દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે વિગતવાર માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવ્યુ. કાર્યક્રમના અંતમાં “આવો ખેતીને ઝેરમુક્ત બનાવીએ” નારા સાથે કાર્યક્રમને સાર્થક બનાવવા ખેડુતોએ પોતાની સહમતિ દર્શાવી વધુમાં વધુ સારા પ્રયત્નો કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી, તેમ નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts