અમરેલી

ભાજપ સરકારની કિસાન સૂર્યોદય યોજનાનો સૂર્યાસ્ત થઈ ગયો : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી

ગુજરાતમાં જયારે જયારે ચુંટણીઓ આવે ત્યારે ત્યારે ભાજપ પક્ષ દ્રારા ગુજરાતની જનતાને છેતરવા સિવાય કશું કામ કર્યું નથી, ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે, ભારત દેશના અર્થતંત્રમાં સોૈથી મોટો અને મહત્વનો હિસ્સો ખેતીનો રહેલો છે, પણ કમનસીબે ભારતમાં છેલ્લા ૯ વર્ષથી ભાજપના શાસનમાં અને ગુજરાતમાં ર૭ વર્ષથી ભાજપના શાસનમાં ખેડુતોની હાલત કફોડી બની ગઈ છે, ખેડુતોને ખેતી કરવા માટે સિંચાઈ માટેનું પાણી, વીજળી, ગુણવતા યુકત બિયારણ, ખાતર,અને જંતુનાશક દવાઓની જરૂરીયાત રહેતી હોય છે, જેના વગર ખેતી કરવી શકય નથી .

આજે ગુજરાતમાં જે જીલ્લાઓમાં જંગલ વિસ્તાર રહેલો છે તેવા જીલ્લાઓમાં ખેડુતોને રાત્રે વાડીએ પાણી વાળવા જવાનું હોય અને આવા જીલ્લાઓમાં ખેડુતો ઉપર અવાર–નવાર હિંસક પ્રાણીઓ જેવા કે સિંહ,દીપડા હુમલાઓ કરતા હોય છે પરીણામે ખેડુતોને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે, જેથી કરીને ગુજરાતના ખેડુતોએ ગુજરાતની ભાજપ સરકારને અવાર–નવાર ખેડુતોને દિવસે વીજળી આપવા માટે રજુઆતો અને આંદોલનો કરેલા છે જેના પરીણામે આ ભાજપની સરકાર ગુજરાતના ખેડુતો સામે નતમસ્ત થઈ ને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મુકવી પડી જેમાં પ્રથમ તબકકામાં દાહોદ, જુનાગઢ, અને ગીર સોમનાથ જીલ્લામાં આ યોજના શરૂ કરવામાં આવી.

ત્યારબાદ બીજા તબકકામાં ભાવનગર અને અમરેલી જિ૬ત્સિલામાં યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં ૧૭.રપ લાખ ખેડુતોને આવરીને ૩૦ર૯ ગામડાઓ સુધી આ યોજના વિસ્તારવામાં આવી હતી અને તેની પાછળ ગુજરાત સરકારે ૩પ૦૦ કરોડની બજેટ માં જોગવાઈ કરીને ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ ગુજરાતની ભાજપ સરકારની મેલી મુરાદના કારણે કરોડો રૂપીયાનો ધુમાડો કરવા છતાં પણ ગુજરાતના ખેડુતોને દિવસે વીજળી મળતી નથી. જેથી કરીનેભાજપના પાપે ગુજરાતનો ખેડુત રાત ઉજાગરા કરવા માટે મજબુર બન્યો છે.

Related Posts