ટીવી શો ‘ભાભી જી ઘર પર હૈ’ની ટીમ અત્યારે શોકમય છે. શોમાં ડૉ. જીતુ ગુપ્તાનો રોલ નિભાવતા જીતુ ગુપ્તાના ૧૯ વર્ષીય પુત્ર આયુષનું નિધન થઈ ગયું છે. રિપોર્ટ્સના અનુસાર, આયુષને તાવ આવ્યા પછી તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. અહીં આયુષની હાલતમાં સુધારો ન થયો અને તેને હંમેશાં માટે દુનિયાને અલવિદા કહી દીધું. આયુષના આ રીતે અચાનક નિધનથી જીતુના પરિવાર અને ‘ભાભી જી ઘર પર હૈ’ની આખી ટીમ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. દીકરાના અચનાક નિધનથી જીતુ ગુપ્તા આઘાતમાં છે. કોમેડિયન સુનીલ પાલે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે જીતુ ગુપ્તાનો દીકરો હવે આપણી વચ્ચે નથી. આ સાથે સુનીલ પાલે આયુષની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સુનીલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર જીતુ ગુપ્તાની પોસ્ટ શેર કરી છે. જીતુ ગુપ્તાએ દીકરાની તસવીર સો.મીડિયામાં શૅર કરીને કહ્યું હતું, ‘મારો બાબુ આયુષ નથી રહ્યો.
આ પહેલાં જીતુ ગુપ્તાએ દીકરો હોસ્પિટલમાં એડમિટ હતો, તેની તસવીર શૅર કરી હતી. જીતુ ગુપ્તાએ પોતાના દીકરા આયુષનો હોસ્પિટલથી એક ફોટો શેર કરતા કહ્યું હતું કે તમારા બધાના સતત ફોન આવી રહ્યા છે. તમને બધાને ચિંતા છે પરંતુ હું અત્યારે ફોન ઉપાડવાની સ્થિતિમાં નથી. પ્લીઝ તમે લોકો પ્રાર્થના કરો કે આયુષ જલ્દી સાજાે થઈ જાય. જીતુ પોતાના દીકરાના મોતથી આઘાતમાં છે. તેણે સોશિયલ મીડિયા પર દીકરા આયુષની સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટોની સાથે તેણે લખ્યું છે કે મારા બગીચાનું ફૂલ મુરજાય ગયું. જીતુની આ પોસ્ટ પછી બધા તેમના દીકરાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને આયુષની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
Recent Comments