રાષ્ટ્રીય

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા પર વાત કરી

એકમાત્ર ઉદ્દેશ્ય શેખ હસીનાને હટાવવાનો હતો, હિંદુઓને નિશાન બનાવાયા ઃ એસ જયશંકર વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે સર્વપક્ષીય બેઠકમાં બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી. આ સાથે વિદેશ મંત્રીએ સર્વસંમત સમર્થન માટે તમામ પક્ષોની પ્રશંસા કરી હતી. આ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા. મીડિયા રિપોર્ટમાં સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ પૂછ્યું કે ઢાકામાં સત્તા પરિવર્તનના રાજદ્વારી પરિણામોનો સામનો કરવા માટે સરકારની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની રણનીતિ શું છે.

વિદેશ મંત્રીએ આ બેઠકમાં પાકિસ્તાની રાજદ્વારીઓની ગતિવિધિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેના પર વિદેશ મંત્રીએ જવાબ આપ્યો કે આ વિકાસશીલ સ્થિતિ છે. તેમણે કહ્યું કે કેન્દ્ર તેનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરી રહ્યું છે જેથી કરીને તે તેનું આગળનું પગલું નક્કી કરી શકે. અહેવાલો અનુસાર, કોંગ્રેસ નેતાએ એ પણ પૂછ્યું કે શું કોઈ વિદેશી શક્તિ, ખાસ કરીને પાકિસ્તાન, છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઢાકામાં નાટકીય વિકાસમાં ભૂમિકા ભજવી શકે છે જે હસીનાની હકાલપટ્ટીમાં પરિણમ્યું હતું. કેન્દ્રએ જવાબ આપ્યો કે તે આ પાસાની તપાસ કરી રહ્યું છે.

એક સૂત્રએ એમ પણ કહ્યું કે સરકારે કહ્યું કે એક પાકિસ્તાની રાજદ્વારી બાંગ્લાદેશમાં હિંસક વિરોધની સ્થિતિને પ્રતિબિંબિત કરવા માટે તેના સોશિયલ મીડિયા ડિસ્પ્લે પિક્ચરને સતત બદલી રહ્યો છે. કેન્દ્રએ કહ્યું કે તે તપાસ કરી રહ્યું છે કે શું આ કોઈ મોટી બાબત તરફ ઈશારો કરે છે. રાહુલ ગાંધીએ એવો પણ સવાલ કર્યો હતો કે શું ભારતને બાંગ્લાદેશમાં નાટકીય વળાંક આવવાનો અંદાજ હતો. જેના પર વિદેશ મંત્રીએ જવાબ આપ્યો કે ભારત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. બાંગ્લાદેશમાં અનામત વિરોધી હિંસક વિરોધ વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાએ અચાનક રાજીનામું આપી દીધું છે. હસીનાએ દેશ છોડતાં ત્યાં અરાજકતાની સ્થિતિ સર્જાઈ છે. હસીના સોમવારે રાત્રે બાંગ્લાદેશ વાયુસેનાના ઝ્ર-૧૩૦ત્ન મિલિટરી એરક્રાફ્ટમાં ભારત પહોંચી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે લંડન જવાની યોજના ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આ મુદ્દે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.

Related Posts