અમરેલી

ભારતિય પ્રવાસન ક્ષેત્રે સહકારી વિકાસપહાડી વિસ્તારનો વિકાસ સહકાર થી સરળ બનશે શ્રીનગરની શેર એ કશ્મિર કૃષિ યુનિવર્સીટી ખાતે રાષ્ટ્રિય કોન્ફરન્સ સંબોધતા દિલીપ સંઘાણી

બાગાયત–કૃષિ વિકાસની ચર્ચા, પ્રવાસન પ્રવૃતિમા સહકાર કશ્મિર ડેરી ચેરમેન વિક્રાંત ડોગરા, ઈફકો સ્ટેટ માર્કેટીંગ મેનેજર સુખપાલ સિંહ સિધ્ધ, ડાયરેકટર એમ.કે.વર્મા, ઈફકો આર.જી.બી.સદસ્યા સકિલા અખ્તર, સરહદ પ્રવાસન સમિતિ અધ્યક્ષ ખાલીદ લોન ની ઉપસ્થિતી એરપોર્ટ ખાતે સહકાર સહિતના વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્રારા ભવ્ય સ્વાગત

દેશના વિકાસનું પ્રમુખ પીઠબળ કૃષિ અને સહકાર ને દેશના પ્રવાસન ક્ષેત્ર એવા પહાડી વિસ્તારના વિકાસમા મહત્વની ભૂમિકા નીભાવવા તત્પર છે તેમ જમ્મૂ–કાશ્મિરના પ્રવાસે પહોચેલા ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી એ શ્રીનગર ખાતે આવેલ શેર એ કશ્મિર કૃષિ યુનિર્વસીટી ખાતે આયોજીત રાષ્ટ્રિય કોન્ફરન્સને સંબોધતા જણાવ્યુ હતું. સંઘાણીએ વધુમા જણાવેલ કે, પ્રધાનમંત્રી મોદી અને સહકાર મંત્રી શાહ સહકારી પ્રવૃતિ વધુમા વધુ લોકભોગ્ય અને સક્ષમ બને, તંદુરસ્ત ખેત ઉત્પાદ મેળવે, જમીન સરાયણમૂકત બને તે દિશામા અસરકારક પહેલ કરવાપર ભાર મૂકયો હતો.

જમ્મુ-કાશ્મિર દેશનું પ્રમુખ પ્રવાસન ક્ષેત્ર છે. પ્રવાસન ક્ષેત્રનો વિકાસ ની દિશામા સહકારને સામેલ કરી સહકારીતાનો વ્યા૫ વઘારવા સાથે કૃષિ, પશુપાલન, પ્રવાસન અને આત્મનિર્ભર યોજનાઓને ગતીશિલ બનાવવા આહ્વાન કરવા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્ન “સહકાર થી સમૃધ્ધિ’ તરફ આગળ વધવા સંઘાણીએ જણાવ્યું હતું.

જમ્મુ કશ્મિરના પ્રવાસ દરમ્યાન કશ્મિર ડેરી ચેરમેન વિક્રાંત ડોગરા, ઈફકો સ્ટેટ માર્કેટીંગ મેનેજર સુખપાલ સિંહ સિધ્ધ, ડાયરેકટર એમ.કે.વર્મા, ઈફકો આર.જી.બી.સદસ્યા સકિલા અખ્તર, સરહદ પ્રવાસન સમિતિ અધ્યક્ષ ખાલીદ લોન, શ્રીનગર વિશ્વ વિધાલયના કુલપતિ નજીર અહેમદ દ્વારા ભવ્ય સ્વાગત સાથે વિશાળ સંખ્યામાં લોકો રાષ્ટ્રીય મહાસંમેલનમાં સામેલ થયા હતા. પ્રવાસ દરમ્યાન સંઘાણીએ પહાડી પ્રદેશોમાં ચાલતી વિવિધ સહકારી પ્રવૃતિઓને નિહાળી હતી. તેમ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવાયુ છે.

Related Posts