અમરેલી

ભારત ના નાયબ ચૂંટણી કમિશનર  નિતેશ વ્યાસ પરિવારે શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ દર્શને પધારતા ભારત ના ડેપ્યુટી ચૂંટણી કમિશનર પરિવારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અને સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ ના દર્શને આવી પહોંચ્યા હતા ઓલ ઇન્ડિયા નાયબ ચૂંટણી કમિશનર શ્રી નિતેશ વ્યાસે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શન પૂજન અર્ચન કરી મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી ની મુલાકાત લીધી હતી ત્યાર બાદ માદરે વતન દામનગર શહેર ની દક્ષિણે બિરાજતા સ્વંયમ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ ના દર્શને રવાના થયા હતા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ટૂંકું રોકાણ કરી દર્શન કર્યા હતા નાયબ ચૂંટણી કમિશનર નિતેશભાઈ માતૃશ્રી અને પિતા શ્રી નટુભાઈ વ્યાસ  પરિવારે માદરે વતન ના દેવસ્થાનો માં દર્શન કરી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી

Related Posts