આજ રોજ માનનીય કથીરીયા સાહેબ દ્વારા ગૌ સેવા , ગૌ સંવર્ધન , આત્મ નિર્ભર ગૌશાળા, વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું તથા *સાવર કુંડલા તાલુકા તેમજ આસ પાસનાં વિસ્તારમાં ઍક પણ ઢોર રખડતા નાં રહે તે માટે ટૂંક સમયમાં ગૌશાળા તથા નંદી ઘર બનાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી.*
આ તકે લાલધામ આશ્રમ નાં ચંદ્રિકાબેન, વિશ્વ હિન્દુ પરિષદ નાં. ગૌસેવા સૌરાષ્ટ્ર પ્રાંત અઘ્યક્ષ બાબુભાઈ સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ ધર્માચાર્ય સંપર્ક સાવરકુંડલા જિલ્લા સંયોજક તેજસ નિમાવત, હિન્દુ યુવા સંગઠનનાં સંસ્થાપક પ્રણવભાઈ વસાણી, ગૌ સંવર્ધન નાં સહ સંયોજક વિશાલભાઈ , લોક સાહિત્યકાર અનિલભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments