ગુજરાત

ભાર્ગોવી જેમ્સ પ્રા.લી આર્ટ ઓફ લિવિંગ સુરત વોલેન્ટિયર ફોર બેટર ની ટીમ ના સયુંકત ઉપક્રમે ગ્રીન સુરત અભિયાન

સુરત  ભાર્ગોવી જેમ્સ પ્રા. લી. ના રત્નકલાકાર ભાઈઓ સાથે આર્ટ ઓફ લિવિંગ સુરત ની વોલેન્ટિયર ફોર બેટર સુરત ની ટીમ દ્વારા ગ્રીન સુરત ના ઉપક્રમે સૌપ્રથમ વૃક્ષ નારાયણ દેવની પૂજા કરી આરતી કરવામાં આવી હતી  ત્યાર બાદ નાસ્તો કરી વિશ્વ કલ્યાણ ની ભાવના કરી અને વૃક્ષોને વાવવામાં આવ્યા હતા ભર્ગોવી પરિવાર અને આર્ટ ઓફ લિવિંગ વેલેંટિયર ફોર બેટર સુરતની ટીમના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવેલ જેમા ૨૬૫  જંગલી ફળાવ ઝાડ મા કણજી,ગરમાળો , અશોક , ગુલમહોર , અશોક , આંબલી , પીપળો , ઉમેરો અને ૨૦  બિલિપત્ર ના ઝાડ એમ કુલ ૨૮૫  વૃક્ષો કર્મનાથ મહાદેવના મંદિર થી લઈને સિધ્ધકુટીર મહાદેવ સુધીના પટ્ટામાં તાપી કિનારે વાવવામાં આવેલ જેથી વૃક્ષોના મૂળ દ્વારા તાપીના પાણી નુ રિસોર્સિંગ વધે અને પાણી જમીનમાં ઉતરે  ધરતી હરિયાળી બને તેવા ઉમદા હેતુ એ ગ્રીન સુરત અભિયાન દ્વારા ખૂબ મોટી સંખ્યા માં વૃક્ષારોપણ કરાયું હતું

Related Posts