ઇન્દિરાનગર નવી નિશાળ સામે રહેતા પ્રૌઢ ભંગારની ફેરી કરી ઘરે આવ્યા ત્યારે પુત્રએ વાપરવા માટે પૈસાની માંગણી કરી હતી.પ્રૌઢ પાસે પૈસા નહિ હોવાના કારણે પિતાએ પૈસા આપવાની ના પાડતા ખીજયેલા પુત્રએ પિતાને છરીના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ શહેરના ઇન્દિરાનગર નવી નિશાળ સામે રહેતા ઈસ્માઈલભાઈ છદુભાઈ કુરેશી ગઈ રોજ ભંગારની ફેરી કરી પરત ઘરે આવ્યા ટાયર ત્યારે ઈસ્માઈલભાઈનો દીકરો ફજલભાઇ ઉર્ફે ગફાર ઇસ્માઈલભાઈ કુરેશીએ આવીને કહેલ કે મને વાપરવા માટે પૈસા આપો જેથી પિતા પાસે પૈસા ન હોવા નાં કારણે પૈસા આપવાની ના પાડી હતી.તેવામાં પુત્રએ ખિજાઈને પિતા પર છરી વડે ડાબી બાજુના પડખામાં એક ઘા ઝીંકી દીધી હતો તથા ડાબા હાથે બાવડા ઉપર છરીનો ઘા મારી ગાળો આપી પૈસા ન આપો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી ઉચ્ચારતા પિતા ઈસ્માઈલભાઈએ બોરતળાવ પોલીસ મથકમા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments