ભાવનગર

ભાવનગરમાં ડો. આંબેડકર ભવન પાનવાડી ખાતે મંગળવારે ભરતી મેળાનું આયોજન

ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.25મી ફેબ્રુઆરી,2025ને મંગળવારના રોજ સવારના 10:30 કલાકે ડો. આંબેડકર ભવન પાનવાડી, ભાવનગર ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રોજગાર ભરતીમેળામાં  ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૫ એકમ (કંપની)માં ઇન્ટર સી.એ., આઇ.ટી.આઇ (ઈલેક્ટ્રિશિયન/ફીટર ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક) બી.બી.એ. એમ.બી.એ., ૧૨પાસ તથા સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એકાઉન્ટ હેડ, સુપરવાઈઝર, ઓફિસ બોય, સેલ્સ ઓફિસર, ઈલેક્ટ્રિશિયન, ફીટર, ટેલિકોલર, મશીન ઓપરેટરની જગ્યાઓ ભરવાની છે.

ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૫ નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવું તેમજ નોકરીદાતા,જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરીની  ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)ની મુલાકાત લેવી, તેમ ભાવનગર જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યું છે.

Related Posts