ભાવનગર

ભાવનગર ખાતે ગુજરાત સરકારના માન.કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી નાઓની અધ્યક્ષતામાં આઈ.જી.કપ-૨૦૨૨ ટેનિસ સ્પર્ધાનું ઉદ્દઘાટન

ગત વર્ષની સફળતા બાદ સતત બીજા વર્ષે પણ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.———આવતીકાલથી શરૂ થનાર આ સ્પર્ધામાં ૧૭૮ ખેલાડીઓ તેમની પ્રતિભાના ઓજસ પાથરશે.——-આ ટૂર્નામેન્ટનો ગુજરાત સરકારના માન.કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનાઓની અધ્ય્ક્ષતામાં તથા રેન્જ આઇ.જી.શ્રી , કલેક્ટરશ્રી, ડી.ડી.ઓ.શ્રી અને પ્રાદેશીક નગરપાલિકા કમિશ્નરશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સીદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે તા.૧૦/૦૬/૨૦૨૨ ના રોજ સાંજે ક.૦૬/૩૦ વાગ્યે શુભારંભ થનાર છે.———
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પ્રાયોગિક ધોરણે યોજાયેલ આઇ.જી.કપને મળેલ અભૂતપૂર્વ સફળતાને ધ્યાનમાં રાખીને સતત બીજા વર્ષે પણ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર, જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. પ્રશાંત જીલોવા, પાદેશીક નગરપાલિકા કમિશ્નર શ્રી અજય દહિયા અને અન્ય મહાનુભાવો તથા ખેલાડીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આ કપની શરૂઆત કરવામાં આવશે.
તા. ૧૦/૦૬/૨૦૨૨ થી તા.૨૦/૦૬/૨૦૨૨ એમ કુલ ૧૦ દિવસ સુધી આ ટેનિસ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ૧૦ કેટેગરીમાં ૯ વર્ષથી લઈને ૭૬ વર્ષના કુલ-૧૭૮ ખેલાડીઓ ભાગ લેનાર છે અને આ ટુર્નામેન્ટમાં કુલ-૫૦૦ થી વધુ મેચ રમાનાર છે.
આ સ્પર્ધામાં ભાવનગર અને અન્ય જિલ્લામાંથી ૧૭૮  લોકો ભાગ લઇ પોતાની રમત- ગમતની કુશળતાનું પ્રદર્શન કરીને પોતાની ખેલ પ્રતિભાના ઓજસ પાથરશે. આટલાં બધાં ખેલાડીઓની નોંધણી આ રમત માટેની ચાહના બતાવે છે તેમજ ભાવનગર અને તેની આસપાસના જિલ્લાઓમાં ટેનીસ ગેમ પ્રત્યેની ચાહના વધી રહી હોવાનું જણાવે છે.આ સ્પર્ધાને સફળ બનાવવાં માટે તનિષ્ક જ્વેલર્સના શ્રી મુકેશ જોધવાણી, એસ.એસ.કોલેજના શ્રી ડો.દેવાંગ રંગાણી, બેસીલ પાર્ક હોટલના શ્રી ચિન્મય શાહ અને મમતા ટેનિસ એકેડમીના શ્રી સૌરભ મિશ્રા અને તેમની ટીમ  છેલ્લાં ૨૦ દિવસથી આ સ્પર્ધાના આયોજનને સફળ બનાવવાં માટે ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યાં છે.
ભાવનગરમાં બાસ્કેટબોલ, ટેનિસ ટેબલ, ટેનિસ ક્રિકેટ અને સ્કેટિંગની સ્પર્ધાનું આયોજન ખૂબ જ થતું હોય છે, તેવાં સમયે ટેનિસની રમતનું આવું ભવ્ય આયોજન ખેલના ફલકને વિસ્તારવા માટે ખૂબ જ સરાહનીય પ્રયાસ છે.
આ પ્રકારની રમતના કારણે ભાવનગરમાં પણ આવી રમતો માટેનું એક વાતાવરણ બનશે. ભાવનગરમાંથી તૈયાર થયેલા ખેલાડીઓ આગામી સમયમાં ગુજરાત અને દેશનું નેતૃત્વ કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવાં સાથે તેમાં એક કે બીજી રીતે સહભાગી થવાં માટે પણ રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમારે ઇજન પાઠવ્યું છે.

Related Posts