ભાવનગર શિશુવિહાર પ્રાંગણમાં સ્વ.શ્રી મૃદુલાબહેન ઇન્દુલાલ પટવારી ની સ્મૃતિ માં ૪૨૪ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાઈ ગયો. શ્રી હિમાંશુભાઈ પટવારીના સૌજન્ય થી તા.૨૨ ઓકટૉબર નાં રોજ યોજાયેલ નેત્રયજ્ઞમાં ૧૦૮ દર્દીઓએ આંખ તપાસ કરાવેલ. શિવાનંદ આઈ હોસ્પિટલનાં સ્થાપક ડૉ શ્રી શિવાનંદ અધ્વર્યુજીની ૨૩મી પુણ્યતિથિ નિમિતે વિરનગરના સહયોગથી આજ દિવસે સંસ્થા પ્રાંગણમાં યોજાએલ ૪૨૫ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ સ્વ. જશવંતીબહેન આચાર્યની સ્મુતિમાં શ્રી ચંદ્રકાંતભાઈ સેવાદાસ દિવાકરનાં સહયોગથી યોજાએલ. આ બંને શિબિરોના ૧૦૮ દર્દીઓને સવારે ચા-નાસ્તો , બપોરે ડૉ શ્રી મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલાના સહયોગથી બનાવેલ અન્નપૂર્ણા ભોજનાલય માં ભોજન બાદ કેટ્રેક સર્જરી માટે જરૂરીયાત મંદ ૧૮ દર્દી તથા તેમના ૧૧ સગા-સબંધીઓ ને ખાસ વાહન માં વિરનગર લઇ જવામાં આવેલ દર્દી નારાયણોની સેવા કરતા શિશુવિહારના કાર્યકરોની અનંન્ય સેવાથી વર્ષ ૧૯૬૮ થી અવિરત રીતે ચાલતી નેત્રયજ્ઞ સેવામાં દિવ્યજીવન ના સ્વયં સેવક શ્રી નવીનભાઈ પટ્ટણી શ્રી યોગેન્દ્રભાઈ શાહ તથા સંસ્થા કાર્યકરો સાથે સેવા આપી હતી
ભાવનગર શિશુવિહાર ખાતે સને ૧૯૬૮ થી અવિરત પ્રભુકૃપા ૪૨૪ અને ૪૨૫ મો નેત્રયજ્ઞ સંપન્ન

Recent Comments