ભાવનગર

ભાવનગર શિશુવિહાર મહામારી માં ઓક્સિજન લેવલ માં રાહત રૂપ ઔષધીય પોટલી સેવા

શીશુવિહાર સંસ્થા સંચાલિત શ્રી સુશીલાબેન રમણીકભાઈ મહેતા આરોગ્ય કેન્દ્રના ઉપક્રમે ..કોરોના ગ્રસ્ત પરિવારો ના ઘરે કપૂર.. અજમા ..લવિંગ ..અને તજ પાવડર ની ૧૦૦૦  પોટલી પહોંચાડવામાં આવી છે…

 રામવાડી કેન્દ્ર થી જરૂરિયાત મંદ દર્દી ઓ સુધી પહોંચતાં ટિફિન સાથે આયુર્વેદિક ઔષધી પહોંચતા દર્દી ઊંડા શ્વાસ થી ગ્રહણ કરતા શ્વસન તંત્રને જંતુ રહિત કરવામાં મદદ કરનાર બની રહેશે ….પ્રાકૃતિક રીતે ઓક્સિજન લેવલ જળવાઈ રહેવાની પૂર્વધારણા સાથે ..સંસ્થાના ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દવેના સહકારથી તૈયાર થયેલ ઔષધી સંસ્થાના નિવાસી કાર્યકરોએ તૈયાર કરી છે….

Related Posts