ગઢચિરોલી પોલીસ સતત નક્સલવાદીઓ પર નજર રાખી રહી છે. તે જ સમયે, પોલીસ નક્સલવાદીઓને પણ આત્મસમર્પણ કરવાની અપીલ કરી રહી છે, જેથી તેઓ મુખ્ય પ્રવાહમાં જાેડાઈ શકે. મુખ્ય પ્રવાહમાં જાેડાતા નક્સલવાદીઓ અને તેમના પરિવારોને સરકારી યોજનાઓનો લાભ મળે છે. જ્યારે, પોલીસે સી.આર.પી.એફ સાથે મળીને આજે બે લાખ રૂપિયાના ઈનામી નક્સલીની ધરપકડ કરી છે. આને પોલીસની મોટી સફળતા માનવામાં આવી રહી છે.મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સએ બે લાખ રૂપિયાના ઈનામી નક્સલવાદીની ધરપકડ કરી. શુક્રવારે, એક સંયુક્ત ઓપરેશનમાં બે પોલીસ અને સી.આર.પી.એફએ પુરસ્કૃત નક્સલીઓની ધરપકડ કરી હતી. એક અધિકારીએ પીટીઆઈ ભાષાને આ માહિતી આપી છે. અધિકારીએ જણાવ્યું કે કરણ ઉર્ફે દુલસા નરોટે નક્સલવાદીઓની ‘એક્શન ટીમ’નો સભ્ય હતો. તે મૂળરૂપે પ્રતિબંધિત ચળવળ ‘ગટ્ટા દલમ’ની સ્વ-ઘોષિત ૧૪મી પ્લાટૂન સાથે સંકળાયેલો હતો. તેની આજે ધરપકડ કરવામાં આવી છે.
ગઢચિરોલીના પોલીસ અધિક્ષક અંકિત ગોયલે જણાવ્યું હતું કે નરોટેને ગઢચિરોલી પોલીસ અને સી.અર.પી.એફ દ્વારા ઇટાપલીના પોમકે ગટ્ટાથી સંયુક્ત ઓપરેશનમાં પકડવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે ઈનામી નક્સલી ૧૬ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો. જેમાં છ હત્યા, ચાર એન્કાઉન્ટર, બે લૂંટ, ત્રણ આગચંપી અને એક અપહરણનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શુક્રવારથી આ વિસ્તારમાં નક્સલ વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે નક્સલવાદીઓને શરણાગતિ સ્વીકારવા અને મુખ્ય પ્રવાહમાં જાેડાવા માટે પણ અપીલ કરી. આ દરમિયાન, સીઆરપીએફના જવાનો સાથેના સંયુક્ત ઓપરેશનમાં, પોલીસ ટીમે નક્સલવાદી કરણ ઉર્ફે દુલસા નરોટેની ધરપકડ કરી હતી, જેના પર બે લાખ રૂપિયાનું ઈનામ હતું. ગઢચિરોલીમાં નક્સલવાદીઓનો આતંક યથાવત છે. બે દિવસ પહેલા નક્સલવાદીઓએ ભામરાગઢ વન વિભાગની ઝામ્બિયા ગટ્ટા ઓફિસમાં કામ કરતા બે ફોરેસ્ટ ગાર્ડને ર્નિદયતાથી માર માર્યો હતો. આ બનાવથી વનવિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનામાં ઘાયલ થયેલા વન રક્ષકોના નામ જાગેશ્વર અને માધવ સુરગાયે જણાવવામાં આવી રહ્યા છે.
Recent Comments