ગુજરાત

મહેસાણામાં કડીના થોળ ગામે ખોદકામ દરમ્યાન જૈન ભગવાનની મુતિર્ઓ મળી

મહેસાણામાંથી ખોદકામ દરમ્યાન જૈન ભગવાનની મુતિર્ઓ મળવાનો કિસ્સો સામે આવ્યો હતોજેમાં કડીના થોળ ગામે ખોદકામ દરમ્યાન ભગવાનની મુતિર્ઓ મળી છે. થોળ ગામના મોટા વાસમાંથી મૂતિર્ઓ મળી. ખાળકુવાના ખોદકામમાં જૈન ભગવાનની મૂતિર્ઓ મળી. ૧૩ જેટલી મૂતિર્ઓ જમીનના પેટાળમાંથી મળી આવી હતી.

થોડા સમય પહેલા ઈડરીયા ગઢ પરથી નવીન ભવનના ખોદકામ દરમ્યાન અંદાજે ૧૫૦૦ વર્ષ પૂરાણી મૂતિર્ઓ મળી આવતા ત્યાં કામ કરી રહેલા લોકો પ્રથમ નજરે અચંબિત થયા હતા. જોકે બાદમાં ભગવાનની મૂતિર્ઓ હોવાનું માલુમ થતા કામદારોએ સૌ પ્રથમ પુરાતન ખાતાને તેમજ જૈન અગ્રણીઓને જાણ કરી જણાવતા જૈન આગેવાનોએ આ મૂતિર્ઓ જૈન ભગવાનની હોવાનું ઓળખ કર્યું હતુ.

ઈડરિયા ગઢ પર જૈન મંદિર પાસે નવીન ભવન માટે ખોદકામ દરમિયાન ૧૫૦૦ વર્ષ પુરાણી જૈન ભગવાન ની મૂતિર્ સહિત કેટલાક પુરાતન અવશેષો મળી આવતા શહેરના જૈન સમાજ સહિત પુરાતત્વ વિદો માં આનંદ છવાયો છે આ અતિ પ્રાચીન મૂતિર્ સહિત અવશેષોને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્‌યા હતા ઈડરિયા ગઢ પર દિગંબર જૈન મંદિર પાસે નવીન સંત ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું અહીં રવિવારે સવારે જેસીબી મશીનથી પાયાના ખોદકામ દરમિયાન એક પ્રાચીન મૂતિર્ તથા કેટલાંક પુરાતન અવશેષો જોવા મળતાં સ્થળ પર હાજર કામદારો દ્વારા જૈન સમાજના અગ્રણીઓ ને જાણ કરાઇ હતી.

Related Posts