માનસિક રોગના ડો.ભાવિન કદાવાલા દ્વારા મળેલ માહિતી મુજબ જુનાગઢ ના રેહવાસી ભૂમિકાબેન નામના દર્દી ૨ જૂન ૨૦૨૩ ના રોજ શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે ઓપીડી માં બતાવવા આવેલ હતા જેમને ગુસ્સે થવું, એકલા એકલા બબડવુ, એકલા એકલા હસવું, ચીડિયો સ્વભાવ, ઘરે થી ભાગી જવું, મન ઉદાસ રહેવું, જીવનમાં રસનો અભાવ, કોઈ પણ જાત નું કામ કરવાની ઈચ્છા ના થવી જેવા લક્ષણો જણાવ્યા હતા દર્દીએ આપેલ માહિતી મુજબ તેઓ છેલ્લા ૮ વર્ષ થી આવી મુશ્કેલીનો સામનો કરી રહેલ હતા અને ઘણા બધા સાઈકાટ્રીક ડોકટરો પાસેથી સારવાર લઈ ચુકયા હતા. પરંતુ કોઈ ફેર જણાતો ન હતો. ડો.ભાવિન કદાવાલા સાહેબે તેમને અતિ આધુનિક મશીન દ્વારા ECT સારવાર આપેલ હતી જેમાં મગજને શેક આપીને સારવાર કરવામાં આવે છે. ECT સારવાર બાદ દર્દી ની તબિયતમાં ધણો સુધારો જોવા મળતા દર્દીએ તે બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો અને ડો.ભાવિન કદાવાલા તથા ચેરમેન શ્રી.વસંતભાઈ ગજેરા તથા ડીરેક્ટર એકતાબેન ગજેરા નો આભાર વ્યક્ત કરેલ હતો.
માનસિક રોગના દર્દી ભૂમિકાબેન ની શાંતાબા જનરલ હોસ્પિટલઅમરેલીમાં ડો.ભાવિન કદાવાલા દ્વારા સફળ ECT સારવાર…

Recent Comments