અમરેલી શહેરમાં સર કારી જનરલ સિવીલ હોસ્પિટલ આવેલી છે . છેલ્લા ઘણા સમયથી આ સ ૨ કા ૨ી જનરલ સિવીલ હોસ્પિટલનું સંચાલન ગુજરાત સરકાર દ્વારા શાંતાબા ગજેરા ટ્રસ્ટને સોંપવામાં આવેલ છે . આ ખાનગી ટ્રસ્ટે સંચાલન સંભાળ્યુ છે ત્યારથી જ કોઈને કોઈ બાબતમાં વિવાદમાં આવેલ છે . તાજેતરમાં બે માસ પુર્વે શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલમાં અંદાજે ૨૫ વ્યક્તિઓના આખના માતીયા માટે ઓપરેશન આ હોસ્પિટલમાં કરાવેલ હતા .
જેમાં ઘણા વ્યક્તિઓએ આ ઓપરેશન દરમ્યાન પોતાની આંખની દૃષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે . પરીણામે તેવા વ્યકિતઓને આજીવન અંધાપો આવ્યો છે . આ મોતીયા કાંડમાં અંધાપાનો ભોગ બન્યા છે તેવા પ્રત્યેક વ્યકિતને ગુજરાત સરકાર ૫૦ લાખ રૂપીયાનું વળતર ચુકવવાની માંગણી અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ – એડવોકેટ સંદિપ પંડયાએ કરી છે . સાથે પક્ષાપક્ષીથી દુર રહી કોંગ્રેસમાજપ – આપ સાથે મળી પીડીતોને ન્યાય અપાવવા એકમંચ ઉપર આવે . ચાલો સૌ સાથે મળીને આ ગરીબ દર્દીઓને ન્યાય અપાવીએ . કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે .
ગુજરાતનાં સતાધારી પક્ષના અમટેલી જીલ્લાના ધારાસભ્યો , સંસદ સભ્ય , વિધાનસભામાં આ પીડીતોને ન્યાય મળે તે માટે પ્રયત્નો કરવા જોઇએ . મેડીકલ કોલેજમાં કુલ કેટલા ડોકટરોનો સ્ટાફ છે , કેટલા ડોક્ટરો નોકરી કરે છે , કેટલા રેગ્યુલર છે . કેટલા ડોકટરો રોજની કેટલી ઓ.પી.ડી. કરે છે તેની પણ તપાસ થવી જોઈએ . કેમકે અવારવાર ત્યા ડોકટરો નથી તથા ટ્રીટ્રીટમેન્ટ અપાતી નથી તેવી પણ લોક મુખે ચર્ચા થતી હોય છે . આ મુદ્દે તટસ્થ તપાસ થશે તો જ સત્ય બહાર આવશે
Recent Comments