સાગર આઈસોલેશન સેન્ટરમાં તાજેતરમાં હાહાકાર મચાવનાર મ્યુકોરમાઈકોસિસનો દર્દી સાજાે થયો હતો. સાજા થયેલા મહિલા દર્દીને છોડ આપીને વિદાય આપવામાં આવી હતી. કુંવરબેન સાવલિયા આઈસોલેશન સેન્ટરમાં મ્યુકોરમાઈકોસિસમાંથી સ્વસ્થ થયેલા પ્રથમ દર્દી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ગોરખપુર ગામમાં રહેતા ૬૩ વર્ષના કુંવરબેન જાદવભાઈ મોવલિયાનો દોઢ માસ પહેલા કોરોના થયો હતો. ભેંસાણા આઈસોલેશન સેન્ટરમાં દાખલ કરાયા હતા. ઓક્સિજન પર ૨૦ દિવસ સારવાર બાદ તેઓ સ્વસ્થ થયા હતા. બાદમાં માથાનો દુખાવો શરૂ થયો હતો. તેથી વધુ સારવાર માટે સુરત આવ્યા હતા. હીરાબાગ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. ત્યાં મ્યુકરમાઈકોસિસનું નિદાન થયું હતું. તેમને જીભ અને નાકમાં સફેદ ફંગસ થઈ હતી.
આર્થિક સ્થિતિ નબળી હોવાથી વરાછામાં એલ.એચ.રોડ પર આવેલા સાગર આઈસોલેશન સેન્ટરમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તબીબ ડો. સુરજ સાવજ અને તેમની ટીમે પરિવારજનોને જણાવ્યું હતું કે, તમે સહમતિ આપો તો કુંવરબેનની સારવાર શરૂ કરીએ. પરિવારજનોએ તાત્કાલિક સારવારની સહમતી આપી હતી. સેન્ટરમાં ૨૦ દિવસની સારવાર બાદ કુંવરબેન સ્વસ્થ થઈ ગયા હતા.
તેમને સોમવારે રજા આપવામાં આવી હતી. તેમને છોડ આપીને વિદાઈ આપવામાં આવી હતી. સેવા સંસ્થા પ્રેરિત ટાઈગર ફોર્સના મિલન ચોહાણે જણાવ્યું હતું કે કુંવરબેન આઈસોલેશન વોર્ડમાં સારવાર લઈને સાજા થયા હોય તેવા મ્યુકોરમાઈકોસિસના પ્રથમ કેસ છે. કુંવરબેન અને જાદવભાઈ વતનમાં ખેતી કામ કરે છે.
મોવલિયા પરિવાર પાસે લાખો રૂપિયા ખર્ચવાની ક્ષમતા ન હતી
કુંવરૂબેનના સંબંધી અરવિંદ સાવલિયાએ જણાવ્યું હતું કે, મ્યુકોરમાઈકોસિસ હોવાનું નિદાન થતા મધ્યવર્ગીય મોવલિયા પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. ખાનગી હોસ્પિટલામાં મ્યુકરમાઈકોસિસની સારવારનો ખર્ચ ૬ લાખથી વધુ હતો. મોંઘા ઈન્જેક્શન લેવાના પૈસા ન હતા. તેથી, આઈસોલેશન સેન્ટરમાં સારવારનો ર્નિણય કર્યો હતો અને આજે સ્વસ્થ્ય થઈ ઘરે પહોંચ્યા હતા.
Recent Comments