સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં દર ૩ દિવસે કોરોનાના કેસમાં ડબલ આંક આવે છે

કોરોનાની સ્થિતિના રિવ્યૂ માટે રાજ્યના ચીફ સેક્રેટરીએ વીડિયો કોન્ફરન્સ યોજી હતી જેમાં તમામ શહેરોની વિગતો લેવાઈ હતી. જેમાં રાજકોટ અને અમદાવાદમાં કેસની સંખ્યા વધુ હોવાની ચિંતા વ્યક્ત કરીને તાબડતોબ વ્યવસ્થા કરવાનું કહેવાયું હતું. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાના જણાવ્યા અનુસાર રાજકોટમાં બે જ દિવસમાં ૫ સ્થળે ટેસ્ટિંગ ડોમ શરૂ કરાશે જેમાં લોકો કોરોનાના ટેસ્ટ કરાવી શકશે આ ઉપરાંત ૫૦થી વધુ ધન્વંતરિ રથ પણ દોડાવાશે. મંગળવારે જાહેર થયેલા આંક મુજબ રાજકોટ શહેરમાં નવા ૩૫ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.

જેમાં ૧૬, ૧૭, ૧૪ વર્ષના કુલ ૫ બાળક છે. કોરોનાના કેસની વિગતો રાજ્યનું આરોગ્ય વિભાગે સાંજના સમયે એકસાથે જે તે તંત્રને મોકલે છે. હવે કેસની સંખ્યા વધુ રહેતા મનપાનું આરોગ્ય તંત્ર પણ તે જ દિવસે તમામ કેસમાં કોણ કઇ સ્કૂલમાં છે તેમજ ટ્રાવેલ હિસ્ટ્રી છે કે નહિ તે નક્કી કરી શકતું નથી ફક્ત ઉંમર અને સરનામાની વિગતો મળી રહી છે.રાજકોટ શહેરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ ઝડપ કેટલી છે તે નક્કી કરવા માટે તંત્ર ડબલિંગ રેટ ગણે છે. એટલે કે કેટલા દિવસમાં કેસ બમણા થઈ જાય છે. રાજકોટ શહેરમાં પહેલા આ ડબલિંગ રેટ ૬ દિવસનો હતો એટલે કે પ્રથમ દિવસે જેટલા કેસ આવ્યા હોય તેનાથી બમણા કેસ છઠ્ઠા દિવસે નોંધાયા હતા. પણ છેલ્લા સપ્તાહમાં આ આંક માત્ર ૩ જ દિવસનો થઈ ગયો છે અને દર ત્રીજા દિવસે કેસ બમણા થઈ રહ્યા છે. રોજ ૨ હજારથી વધુના ટેસ્ટમાં પોઝિટિવિટી રેટ ૦.૪ ટકાથી વધીને ૧.૫ ટકા થઈ ગયો છે. હાલની સ્થિતિએ રાજકોટ શહેરમાં દૈનિક ૨૦૦૦ ટેસ્ટ થઈ રહ્યા છે અને તેમાં પણ પોઝિટિવિટી રેશિયો જે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ૦.૪ ટકાની આસપાસ હતો તે હવે ૧.૫ ટકા જેટલો વધી ગયો છે.

પબ્લિક હેલ્થના નિષ્ણાતો જણાવે છે કે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના ઉલાળિયા થતા રહ્યા તો ડબલિંગ રેટ હજુ પણ ઘટીને બે દિવસ થઈ શકે છે પણ માત્ર ૩ જ દિવસનો રેટ ગણીયે તો પણ ૧ જાન્યુઆરી બાદ રોજના ૭૦, ૩ જાન્યુઆરી બાદ રોજના ૧૪૦ અને ૬ જાન્યુઆરી બાદ રોજના ૨૮૦ કેસ આવશે. આ જ ઝડપે ૧૩થી ૧૫ તારીખ એટલે કે મકરસંક્રાંતિના સમયે દૈનિક કેસ ૮૦૦થી ૯૦૦ની વચ્ચે આવી શકે છે. એપ્રિલમાં રાજકોટમાં બીજી લહેર આવી ત્યારે જે ટેસ્ટ કરાતા તેમાંથી ૫ ટકા લોકો કોરોના પોઝિટિવ આવતા હતા જે દર ખૂબ જ ઊંચો હતો. આ સમયે દૈનિક હજારો ટેસ્ટ થઈ રહ્યા હતા અને જે કેસ જાહેર કરાતા હતા તે મુજબ સૌથી વધુ એક ૭૭૨ નોંધાયા હતા જાેકે તે સમયે તંત્ર જે કેસ જાહેર કરતું તેમાં આંક વિશ્વનીય છે કે નહિ તે મુદ્દો મહત્ત્વનો હતો. સરળ ભાષામાં ગણતરી સમજીએ તો અત્યારે ૨૦૦૦ ટેસ્ટ થાય છે જાે ૫ ટકા પોઝિટિવિટી રેશિયો આટલા જ ટેસ્ટમાં રહે તો પણ દૈનિક ૧૦૦ કેસ આવે.

Related Posts