સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં પિતાએ પુત્રને લાકડી વડે માર માર્યોઃ મોત નિપજતા ચકચાર મચી

મોત મારથી થયું કે પડી જવાની ઇજાથી? તે અંગે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટની જાેવાતી રાહ

રાજકોટ કાલાવડ રોડ પર રાણી ટાવર નજીક રાણી ચોકમાં નંદનવન સોસાયટીમાં નેપાળી પરિવાર રહે છે. અહીં જ ચોકીદારી કરતા નેપાળના યુવાને ગત સાંજે પોતાનો ૮ વર્ષનો પુત્ર જમવા ન બેસતો હોય અને પોતાનું કહ્યું માનતો ન હોવાથી ઢોર માર માર્યો હતો. તેમજ તોફાન કરતો હોવાથી તેને લાકડીથી ફટકાર્યો હતો. જમી લીધા બાદ આ ટેણીયો ફરી તોફાને ચડતાં નેપાળી યુવાન ફરી તેને મારવા માટે દોડતાં તે પડી જતાં ઇજા થઇ હતી. એ પછી તે સુઇ ગયો હતો. મોડી રાતે આ બાળકની તબિયત બગડતાં હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મોત મારથી થયું કે પડી જવાની ઇજાથી? તે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતાં ૮ વર્ષના સૌરભ સિધ્ધરાજ ભૂલને વહેલી સવારે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સૌરભ સાંજે રમતાં રમતાં પડી જતાં માથા અને શરીરે ઇજાઓ થઈ હોવાથી બેભાન થઇ ગયાનું જણાવાતાં તે મુજબની એન્ટ્રી હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રણછોડભાઇ સાંબડે તાલુકા પોલીસમાં નોંધાવી હતી.

બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના ઁજીૈં વી.એન. મોરવાડીયા તથા હેડકોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલે પહોંચ્યો હતો. પોલીસે પંચનામા માટે બાળક સૌરભના મૃતદેહનું નિરિક્ષણ કરતાં તેના શરીર પર પડખામાં, જમણા સાથળ પાસે, ગોઠણથી નીચેના ભાગે, ડાબા પગના સાથળ પાસે, ડાબા સાથળ પાસે તેમજ બીજા ભાગોમાં માર મારવામાં આવ્યો હોય તેવા ઇજાના નિશાન જાેવા મળતાં પોલીસને શંકા ઉપજી હતી.

પોલીસે સૌરભના પિતા સિધ્ધરાજ બીરખાભાઇ ભૂલની પૂછપરછ કરતાં પહેલા તો તેણે દિકરો રમતાં રમતાં પડી ગયાની વાત પકડી રાખી હતી. પરંતુ એ પછી પોલીસે શાંતિપૂર્વક તેને જે બન્યું હોય તે જણાવી દેવા કહેતાં તેણે સાંજે દિકરાને પોતે લાકડીથી ફટકાર્યો હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે બાળકનું ફોરેન્સિક પીએમ કરાવી આગળ કાર્યવાહી અહીં જ હાથ ધરી છે.

Related Posts