ગુજરાત ગૌણ પસંદગી મંડળ ઘ્વારા લેવાયેલ પરીક્ષાનું પેપર ફૂટી જતાં પ્રદેશ કોંગી પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષી નેતા સુખરામભાઈ રાઠવાની આગેવાનીમાં કોંગી ધારાસભ્યોએ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવેલ છે કે, ગુજરાતમાં વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્યબની રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઘ્વારા હાલમાં લેવાયેલ હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ઘોર બેદરકારી અને લાપરવાહીનાં કારણે ફૂટતા રાજયનાં લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા છે. રાજયના યુવાનોનાં સરકારી નોકરીઓ મેળવવાનાં સપનાઓ રોળાયા છે. રાજય સરકાર ઘ્વારા દર વર્ષે ભરતી કેલેન્ડર બહાર પાડીને શિક્ષિત યુવાનોને રોજગારીના સપનાઓ દેખાડવામાં આવે છે પરંતુ હકીકતે તેનો અમલ કરવામાં આવતો નથી, ભરતી કેલેન્ડર માત્રને માત્ર ચોપડા પર જ રહી જાય છે.
હેડ કલાર્કની પરીક્ષાનું પેપર રૂપિયા 30 લાખમાં વેચાયાનું બહાર આવ્યું છે અને ખાનગી પ્રેસના માણસ ઘ્વારા પણ રૂપિયા 9 લાખમાં પેપર વેચાયાનું બહાર આવ્યું છે તેમ છતાં આ અંગે મુખ્યમંત્રી અથવા ગૌણ સેવા પસંદગી મંડળના અઘ્યક્ષ અસીત વોરા ઘ્વારા શિક્ષિત યુવાનો માટે કોઈ સંવેદના વ્યકત કરવાની તસ્દી લેવાઈ નથી ે કોઈ બાંહેધરી પણ આપવામાં આવી નથી જે ખૂબ જ દુઃખદ બાબત છે.
રાજય સરકાર યુવાનોનાં પ્રશ્નો અંગે અત્યંત અસંવેદનશીલ હોવાનો આ એક વધુ બોલતો પુરાવો છે. પહેલેથી બેકારીનો ભોગ બનેલા રાજયના લાખો બેરોજગાર યુવાનોને પરીક્ષા આપવા જવાનો ખર્ચ, સમયનો દુર્વ્યય અને ભારે હાલાકી ભોગવવા પડેછે. બેરોજગાર યુવાનો માટે ઉપયોગી આયોજન કે નીતિ ઘડવાને બદલે તેમની હાલાકીમાં એક વખત વધુ વધારો કરવાનું રાજયની ભાજપ સરકારમાં બન્યું છે જે અત્યંત નીંદનીય છે.
ગૌણ સેવા પસંદગી મંડળ ફકત ભ્રષ્ટાચારીઓ માટે જ કામ કરતું હોઈ તેવું લાગે છે, ગૌણ સેવા પસંદગી મંડળ ઘ્વારા મળતીયાઓને પાછલા બારણે ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહૃાો છે. સરકાર ઘ્વારા પહેલાં તો પરીક્ષામાં 7ર કલાક સુધી પેપર નથી ફૂટયાનું રટણ ચાલું રાખ્યું હતું. ત્યારબાદ દબાણ વધતા પેપર ફૂટયાનું સ્વીકારવામાં આવેલ. પેપર ફૂટયાનું સ્વીકાર્યા બાદ નાની માછલીઓને પકડીને મોટા મગરમચ્છને છોડી દેવામાં આવે છે. પેપર ફૂટવાના સમગ્ર કૌભાંડમાં દેખાડા પુરતી જ કલમો ઉમેરવામાં આવી છે. સરકારની આવી કામગીરીના લીધે સરકાર ઉપર શંકા ઉભી થાય છે. દર વખતે જયારે-જયારે પેપર ફૂટે છે ત્યારે ઔપચારીકતા પુરતી ફરિયાદ દાખલ થાય છે અને માત્ર લાભાર્થી અથવા તો પેપરનો ફેલાવો કરવાવાળ લોકો પકડાય છે પરંતુ સમગ્ર ઘટનાના મુળ સુધી જવાનો પ્રયત્ન કયારેય થયો નથી. ભૂતકાળમાં જેટલી વખત પેપર ફૂટવાની ઘટનાઓ બની છે તેમાંથી બોધપાઠ લઈ કૌભાંડનાં મુળ સુધી પહોંચ્યા હોત તો કૌભાંડકારીઓ ઉપર દાખલ બેસાડી શકાયો હોત પરંતુ તેવું નથવાના લીધે વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થયા કરે છે.
સરકારના પોતાના પ્રિન્ટીંગ પ્રેસ હોવા છતાં ખાનગી પ્રેસમાં પરીક્ષાઓના પેપર છપાવવાનું શું કારણ છે તે સમજી શકાતું નથી, શું સરકારને પોતાના પ્રેસમ પર વિશ્વાસ નથી ? ગૌણ સેવા પસંદગી મંડળ ઘ્વારા હેડ કલાર્કની પરીક્ષાના પેપર છાપવાની કામગીરી જે પ્રિન્ટીંગ પ્રેસને સોંપવામાં આવી છે તે પ્રિન્ટીંગ પ્રેસની સામે અગાઉ પેપર ફૂટવાની ઘટનામાં સંડોવણી સામે આવેલ છે. તેમ છતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અઘ્યક્ષ અસીત વોરા ઘ્વારા ભૂતકાળમાં પેપર ફૂટવાના ગુનાહિત ઈતિહાસ ધરાવતા પ્રિન્ટીંગ પ્રેસને કામગીરી સોંપવામાં આવી છે તે દર્શાવે છે કે ગૌણ સેવા પસંદગી મંડળના અઘ્યક્ષની ભૂમિકા શંકાસ્પદ છે.
ગુજરાતમાં ભાજપ સરકારનાં શાસનમાં વર્ષ ર014માં રેવન્યું તલાટી, વર્ષ ર01પ ચીફ ઓફિસર-પંચાયતી તલાટી, વર્ષ ર018માં પોલીસ રક્ષક દળ, વર્ષ ર018માં શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી-ટાટ, વર્ષ ર019માં બિન સચિવાલય કલાર્ક, વર્ષ ર0ર1 ડીજીવીસીએલમાં વિદ્યુત સહાયકના પેપર ફૂટવાની સાથે તાજેતરમાં હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટયું છે. ગુજરાતમાં ભાજપના શાસનમાં પેપર ફૂટવાની ઘટનાઓ વારંવાર બને છે જેના કારણે બેરોજગાર યુવાનોને અન્યાય થઈ રહૃાો છે અનેસરકાર જેની જવાબદારી છે તેની સામે કડક પગલાઓ લેવામાં આવતા નથી ત્યારે સરકારની નીતિ અને નૈતિકતા ઉપર અનેક સવાલો ઉભા થાય છે.
ગુજરાતમાં ર0 લાખ કરતા વધુ શિક્ષિત બેરોજગારો છે. પેટે પાટા બાંધીને મા-બાપ સંતાનોને ભણાવતા હોય છે. આજની શિક્ષણ નીતિના કારણે રાજયમાં ગરીબ પરિવારોને સંતાનોને ભણાવવા માટે દેવું કરવું પડે છે. નોકરી માટે દિકરા-દિકરીને ટયુશન કલાસમાં મોકલીને વર્ષો સુધી પરીક્ષાઓ અપાવી સરકારી નોકરી મળવાની આશા રાખીને બેઠા હોય છે. ત્યારે સરકારની અને ગૌણ સેવા પસંદગી મંડળની મીલીભગતના કારણે આવા આશાસ્પદ યુવાનોના મા-બાપની આશાઓ પર પાણી ફરી વળે છે અને વિદ્યાર્થીઓ પોતે પણ વર્ષો સુધી માનસિક યાતના ભોગવી સતત પરીક્ષાના દબાણમાં રહે છે અને આવા યુવાનો આપઘાત કરવા સુધીના પગલાઓ ભર્યાના બનાવો પણ સામે આવે છે.
વધુમાં જણાવેલ છે કે, પરીક્ષાનું પેપર ફૂટવાની તપાસ હાઈકોર્ટના સીટીંગ જજ મારફત કરાવવામાં આવે., પેપર ફૂટવાની નૈતિક જવાબદારી સ્વીકારીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અઘ્યક્ષ અસીત વોરા રાજીનામું આપે.
નૈતિક જવાબદારી સ્વીકારી અસીત વોરા રાજીનામું આપવા તૈયાર ન હોઈ તો રાજય સરકાર તેઓના પાવર વાપરીને હકાલપટ્ટી કરે., પેપર ફૂટતા પરીક્ષા રદકરવાની જાહેરાત કરવામાં આવે તે જ દિવસે પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરવામાં આવે.
વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે લાખો રૂપિયાની ફી ભરી ટયુશન કલાસ, મોટા શહેરોમાં રહેવા-જમવાના ખર્ચાઓ કરીને તૈયારી કરી હોઈ છે. ત્યારે પરીક્ષા રદ થતાં મહિનાઓ સુધી પુનઃ પરીક્ષા ન લેવાતા પુનઃ કલાસ અને તૈયારી કરવા લાખો રૂપિયાના ખર્ચાઓ થાય છે તેથી પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને વ્યાજબી વળતર આપવામાં આવે.
પુનઃ પરીક્ષા ન લેવાય ત્યાં સુધી ઉમેદવારોને માસિક રૂા. પ,000 ટયુશન કલાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ખર્ચ પેટે ચુકવવામાં આવે તેવી માંગ અંતમાં કરવામાં આવી છે.
Recent Comments