અમરેલી

રાજુલા તાલુકા કક્ષા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રાજુલાપ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને પ્રતિજ્ઞા લેવામાં આવી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-૨૦૨૪ની તા.૦૭ થી તા.૧૫ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છેઆ ઉજવણીના ભાગરુપે રાજુલા તાલુકા કક્ષા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રાજુલા પ્રાંત અધિકારી શ્રી ડૉ.મેહુલ બરાસરાના અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાકાર કરવા રાષ્ટ્ર નિર્માણ માટે સંકલ્પબદ્ધ થયા હતા. વિકાસ સપ્તાહ અંતર્ગત તા.૦૯ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ તાલુકા કક્ષાની તમામ કચેરીઓ અને પેટા કચેરીઓ સાથે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તા.૧૦, ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ ગ્રામ્ય કક્ષાએ પણ ભારતના વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે. અધિકારીશ્રીઓ – કર્મચારીશ્રીઓ સહિતના નાગરિકો જોડાશે.

Related Posts