ગુજરાત

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો.૧થી ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે શાળા પરિવહન ખર્ચ યોજનાની જાહેરાત

હવે ધોરણ ૯ થી ૧૨ના સરકારી-ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને મફત પરિવહન સેવા આપવામાં આવશે. ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓને પહેલા આ સેવાનો લાભ મળતો હતો. અને હવે સરકારે ધોરણ ૯ થી ૧૨ને પણ યોજનાનો લાભ આપવાનો ર્નિણય કર્યો છે. જેમના રહેણાંક સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલથી પાંચ કિલોમીટરથી વધારે દૂર હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજના માટે બાળક દીઠ પ્રતિ મહિને ૬૦૦ રૂપિયા લેખે પરિવહન ખર્ચ કરવા આદેશ અપાયો છે. આ યોજનાનો અમલ ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષથી શરૂ કરાશે.

જેનાથી સરકારી કે ગ્રાન્ટેડ શાળાથી દૂર રહેલા વિદ્યાર્થીઓને ફાયદો થશે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો.૧થી ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે શાળા પરિવહન ખર્ચ યોજનાની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીદીઠ માસિક રૂ.૬૦૦ પ્રમાણે વાર્ષિક ૬ હજાર રૂપિયાની મર્યાદામાં પરિવહન ખર્ચ આપવામાં આવશે. શિક્ષણ વિભાગના નેજા હેઠળ આવતી ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પૈકી જેઓ દૂર અંતરિયાળ વિસ્તારમાં અપ-ડાઉન કરતાં હોય તેમના માટે શાળા પરિવહન યોજના શરૂ કરવામાં આવી છે. વિભાગ દ્વારા કરાયેલા ઠરાવ પ્રમાણે વિદ્યાર્થી રહેણાંકથી ૫ કિ.મી.ની ત્રિજ્યાથી દૂર હોય તેમને આ યોજનાનો લાભ મળશે. માસિક રૂ.૬૦૦ પ્રમાણે પરિવહન ખર્ચ આપવામાં આવશે.

આ માટે નક્કી કરાયેલી શરતો અંતર્ગત ગુજરાત શાળા શિક્ષણ પરિષદ-સમગ્ર શિક્ષા નોડલ એજન્સી મારફતે અમલ કરવાનો રહેશે. આ યોજનાનો લાભ લેતાં વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સમાન પ્રકારની યોજનામાં ડુપ્લિકેશન ન થાય તેનું ધ્યાન એજન્સીએ રાખવાનું રહેશે. માસિક રૂ.૬૦૦ પ્રમાણે પરિવહન ખર્ચ આપવામાં આવશે. આ માટે નક્કી કરાયેલી શરતો અંતર્ગત ગુજરાત શાળા શિક્ષણ પરિષદ-સમગ્ર શિક્ષા નોડલ એજન્સી મારફતે અમલ કરવાનો રહેશે. આ યોજનાનો લાભ લેતાં વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સમાન પ્રકારની યોજનામાં ડુપ્લિકેશન ન થાય તેનું ધ્યાન એજન્સીએ રાખવાનું રહેશે.

Related Posts