અમરેલી

રાજ્યપાલના હસ્તે સતત ૧૪ માં વર્ષે સાવરકુંડલાનામેહુલભાઇ વ્યાસને બે એવોર્ડ એનાયત…

સાવરકુંડલામાં રહેતા સેવાભાવી મેહુલભાઇ વ્યાસ કે જેઓસાવરકુંડલા શહેર-તાલુકામાં ૨૪ કલાક મેડિકલ સેવામા તત્પર રહે છે.અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-સાવરકુંડલાના સેક્રેટરી છે.મેહુલભાઈ વ્યાસ અને સાવરકુંડલા ખાતે આવેલ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાંચને સતત ૧૪માં વર્ષે તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાત રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતજી ના હસ્તે ગાંધીનગર ખાતે આવેલ રાજયપાલ ભવન ખાતે બે એવોર્ડ પ્રાપ્ત થતા તેઓએ સાવરકુંડલા નું નામ સમગ્ર રાજ્યમાં રોશન કર્યું છે.સાવરકુંડલા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા તેમના ધર્મપત્ની પૂજાબેન વ્યાસ એ ગુજરાત ગર્વનર દેવવ્રત આચાર્યજી ના હસ્તે આ એવોર્ડ મેળવ્યા હતા. તેઓ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તાલુકા બ્રાન્ચ દ્વારા ચક્ષુદાન, રક્તદાન શિબિર, જે.આર.સી.,વાય.આર.સી, હોમ કેર, એમ્બ્યુલન્સ સેવા, ફર્સ્ટ એઈડ વિગેરે મેડિકલ વિગેરે જેવી કુલ ૧૭ જેટલી સેવાઓ પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે. સાવરકુંડલા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસે અત્યાર સુધીમાં કુલ ૮૬ અવોર્ડ મેળવી ચુક્યા છે. મેહુલભાઇ વ્યાસની ઉમદા કામગીરીની નોંધ લઇ રાજ્યપાલ દ્વારા તેમને અનેકવાર એવોર્ડ મળ્યા છે તે ખરેખર ગૌરવપૂર્ણ બાબત ગણાય.

Related Posts