જરાત વિધાનસભામાં ટુંકી મુદ્દતના પ્રશ્નમાં ચાંદીપુરા વાયરસ અને વાયરલ એન્કેફેલાઇટીસની સ્થિતિ અંગેના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા ૬ દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યમાં ૧૨ દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાથી સંક્રમિત એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. વધુ વિગતો આપતા તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં વર્ષ ૨૦૨૪ માં રાજ્યના ૧૬૪ જેટલા દર્દીઓને વાયરલ એન્કેફેલાઇટીસનું સંક્રમણ જાેવા મળ્યું.
જે પૈકી ૬૧ જેટલા કેસ ચાંદીપુરા પોઝીટીવ હોવાનું જણાંયુ હતુ. ચાંદીપુરા રોગના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે પ્રો-એક્ટિવલી કામગીરી કરી છે. રાજ્યમાં શંકાસ્પદ અને પોઝીટીવ જણાયેલ અસરગ્રસ્ત વિસ્તારો સહિતના આસપાસના વિસ્તારોમાં કુલ ૫૩,૯૯૯ ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ.કુલ ૭,૪૬,૯૨૭ કાચા ઘરોમાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગની કામગીરી અને કુલ ૧,૫૭,૦૭૪ કાચા ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે.
અસરગ્રસ્ત વિસ્તારોની કુલ ૩૧,૫૬૩ શાળામાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ ૮,૬૪૯ શાળામાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે. ટકુલ ૩૬,૧૫૦ આંગણવાડીમાં મેલિહિ્થયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ ૮,૬૯૬ આંગણવાડીમાં સ્પ્રેઇંગની કામગીરી કરાઇ છે.અત્યાર સુધી નોંધાયેલ કુલ ૧૬૪ વાયરલ એન્કેફેલાઇટીસ સંક્રમિત દર્દીઓને સત્વરે અને સધન સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે પૈકી ૭૩ બાળકોના દુઃખદ મૃત્યુ નિપજ્યા જે પૈકી ચાંદીપુરા સંક્રમિત ૨૮ બાળકોના દુઃખદ મૃત્યુ નોધાયા છે. તમામ કેસ પૈકી ૮૮ બાળકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Recent Comments