ગુજરાતની જેલોમાં ૭૭ જેટલા કાચા અને પાકા કામના કેદીઓ ઁૈંફ એઈઝડની બીમારીથી પીડાય છે. જ્યારે મહિલા કેદીઓ સાથે ૩૬ જેટલા બાળકોને જેલમાં જ રહેવાની છૂટ અપાવામા આવી છે.ગુજરાતની જેલોમાંથી જુલાઈ- ૨૦૧૮થી જૂન- ૨૦૨૧ વચ્ચેના ત્રણ વર્ષમાં પેરોલ અને ર્ફ્લો ઉપર છૂટેલા ૪૦૭ કેદીઓ પાછા જ ફર્યા નથી. વિધાનસભામાં જેલમંત્રીએ લેખિત ઉત્તરમાં અમદાવાદ સેન્ટ્રેલ સહિત રાજ્યની ૧૭ જેલમાં ક્ષમતાથી વધુ કેદીઓ હોવાનું સ્વીકાર્યુ છે. આ સ્થિતિ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કઈ હદે કથળી છે તે સ્વંય સ્પષ્ટ કરે છે. ગત વર્ષે કોરોના મહામારી શરૃ થયા બાદ અધિકાંશ કેદીઓને પેરોલ અને ફર્લો પોતાના ઘરે મોકલવામા આવ્યા હતા. જાે કે, લોકડાઉન દરમિયાન જેમની મુદ્દત પૂર્ણ થતી હતી તેવા કેદીઓનો જેલ તંત્ર દ્વારા સ્વિકાર ન કર્યાના પણ કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. ત્રણ વર્ષમાં પેરોલ ઉપર છુટેલા ૩૦૨ અને ફર્લો પૂર્ણ થયા પછી પરત ન આવેલા કેદીઓની સંખ્યા ૧૦૫ થવા જાય છે.
રાજ્યમાં ૩ વર્ષમાં ૪૦૭ કેદીઓ ગાયબ

Recent Comments