અમરેલી

લાઠી રામકૃષ્ણ ઓડિટોરિયમ હોલ ખાતે મુની ઈન્ટરનેશનલ સ્કુલ-દિલ્લીના સ્થાપક અશોકકુમાર ઠાકુર ની અધ્યક્ષતા માં શૈક્ષણીક સેમીનાર યોજાયો

લાઠી સંતોક બા મેડિકલ સેન્ટર લાલજીદાદા ના વડલે રામકૃષ્ણ ઓડિટોરિયમ હોલ ખાતે  શૈક્ષણીક સેમીનાર લાઠી તાલુકા હાલ સુરત રામકૃષ્ણ એક્સપોર્ટ સતત મોભી ગોવિદ ભગત શિક્ષણની ચિંતા કરતા અને શિક્ષણ અને  સામાજીક ક્ષેત્રે જેનું આગવું પ્રદાન છે, એવા ધોળકીયા પરીવારના ઉપક્રમે શૈક્ષણિક સેમીનારનું આયોજન કરેલ જેમાં મુખ્ય મહેમાન તરીકે શિવમ જવેલ ઘનશ્યામભાઈ શંકર તથા રાકેશભાઈ ધોળકીયા અને નિવૃત આઇ પી એસ હરેકૃષ્ણભાઈ પટેલ ઉપસ્થિત માં કેળવણી અંગે સુંદર સેમીનાર યોજાયોઆપણા દેશમાં શિક્ષણ ક્ષેત્રે જેમણે ડંકો વગાડ્યો છે તેવી “મુની ઈન્ટરનેશનલ સ્કુલ-દિલ્લીના” સ્થાપક અને મોટીવેશન સ્પીકર એવા “શ્રીઅશોકકુમાર ઠાકુર” દ્વારા શિક્ષણમાં નવીનીકરણ તથા શિક્ષણ ક્ષેત્રના અવનવા પ્રયોગો તેમજ વિદ્યાર્થીઓને વધુ પ્રતિભાશાળી કેમ બનાવી શકાય તેવા ઉમદા અનેકવિધ મુદ્દે પ્રેરક માર્ગદર્શન આપી સંવાદ કર્યો હતો આ તકે પૂર્વ આઇ.જી.પી.-ગુજરાત રાજ્ય અને શિક્ષણ પ્રેમી શ્રી હરીકૃષ્ણભાઇ પટેલ  ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન  આપ્યું હતું  તથા કલાપી હાઇસ્કુલ-લાઠીના આચાર્યશ્રી રામાણી સાહેબ તથા નવજ્યોત વિદ્યાલય-દામનગરના સંચાલક  બટુકભાઈ શિયાણી સહિત અનેકો કેળવણી કારોની પ્રેરક ઉપસ્થિતી સેમીનાર યોજાયો હતો 

Related Posts