લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા તેમજ સુદર્શન નેત્રાલય- અમરેલી અને રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઈના આર્થિક સહયોગથી તા. ૦૯-૧૨-૨૦૨૩ ને ગુરૂવારે બપોરે ૩-૦૦ કલાકે અમરેલી શહેરના નગરજનો માટે લાયન્સ હોલ અમરેલીમાં બારમો વિનામુલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
આ નિદાન કેમ્પમાં ૪૭ દર્દીઓની આંખના તમામ રોગોની તપાસ નિષ્ણાત ડૉ. દર્શિત ગોસાઈ દ્વારા કરવામાં આવેલ અને જરૂરિયાતમંદ ૧૧ દર્દીઓને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી આરોપણ વિનામૂલ્યે કરી આપવામાં આવેલ હતા.
આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી પ્રમુખ લાયન કિશોરભાઇ શિરોયા, સેક્રેટરી લાયન રૂજુલભાઈ ગોંડલીયા, લાયન રમેશભાઈ ગોલ, લાયન ભગવાનભાઈ કાબરીયા, લાયન સાહસભાઈ ઉપાઘ્યાય તેમજ સુદર્શન નેત્રાલય તરફથી શ્રી કિર્તીભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.
Recent Comments