આ કેમ્પમાં માથાનો , ડોકનો , ખંભાનો , વાંસાનો , કમરનો , હાથ તથા પગનો તથા મણકાના દુઃખાવાની સારવાર કરવામાં આવેલ. આ કેમ્પમાં નીચે મુજબના પ્રખ્યાત એક્યુપ્રેશરીસ્ટ લાચન શ્રી ભાયલાલભાઈ કે . ધીણોજા – ગોંડલ શ્રી કિશોરભાઈ વાળા – રાજકોટ, શ્રી દિનેશભાઇ ખખ્ખર – રાજકોટ શ્રી અરવિંદભાઈ પરમાર – રાજકોટ શ્રીમતિ વર્ષાબેન આર . ધીણોજા વગેરે નિષ્ણાંતોએ સેવા આપેલ…આ કેમ્પની સાથોસાથ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચ દ્વારા વિનામૂલ્યે બીપી તેમજ ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચ ના સેક્રેટરી શ્રી મેહુલ વ્યાસ ઉપસ્થિત હતા.
લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા વિનામૂલ્યે એક્યુપ્રેશર નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ

Recent Comments