અમરેલી

લેઉઆ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલીની કારોબારી તેમજ સલાહકાર સમિતિની બેઠક મળી

લેઉઆ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી કાંતિભાઈ વઘાસિયાએ ટ્રસ્ટની કારોબારી મિટિંગ બોલાવી જેમાં કાળુભાઈ ભંડેરીને અધ્યક્ષ સ્થાન આપવામાં આવ્યુ . આજની બેઠકમાં એજન્ડા મુજબ ગત મિટિંગનું પ્રોસેડિંગ ઉપપ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા વાંચન કરવામાં આવેલ . આગામી વર્ષમાં ૨૨ મી ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ ૫૧ સમૂહલગ્ન યોજવાનો પ્રસ્તાવ રજુ થયો . જેની લગ્ન નોંધણી ૦૧/૧૨/૨૦૨૧ થી ૩૧/૧૨/૨૦૨૧ સુધીમાં વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે . જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી કોવિડની જે તે વખતની પરિસ્થિત મુજબ સમૂહલગ્ન સમારોહમાં ફેરફારની શરતે ટેન્ટેટિવ આયોજનની રૂપરેખા તૈયાર કરવામાં આવી . આ બેઠકમાં કારોબારી સભ્યો તેમજ ટ્રસ્ટીશ્રીઓ શ્રી વસંતભાઈ મોવલીયા , દકુબાપા ભુવા , ચતુરભાઈ ખૂંટ , ભીખુભાઈ કાબરીયા , રાજેશભાઈ માંગરોળીયા , હિંમતભાઈ ધાનાણી , જગદીશભાઈ તળાવીયા , પરેશભાઈ પોકળ , જતિનભાઈ સુખડિયા , રમેશભાઈ બાબરીયા , ભુપતભાઈ સાવલીયા , શિવલાલભાઈ હપાણી , ભરતભાઈ બાવીશી , ગોપાલભાઈ કચ્છી , કૌશલભાઈ ભીમાણી , ભરતભાઈ પાનસુરીયા , પુનમભાઈ પડસાળા , દુલાભાઈ દેસાઈ , નિલેશભાઈ મુલાણી , કેતનભાઈ કાબરીયા વગેરેએ હાજરી આપી હતી .

Related Posts