કમ્યુનિકેશનમાં એવું કહેવામાં આવે છે કે, લોકોને તેમની ભાષામાં તેમની જેવાં બનીને સમજાવવામાં આવે તો તે વધુ અસરકારક રીતે લોકોને અસર કરે છે. આ માન્યતા કે સિધ્ધાંતને ધ્યાનમાં રાખીને ભાવનગરના ઉમરાળાના બી.એલ.ઓ.શ્રી પૂનાભાઇ ખીમાણીએ પરંપરાગત કેડિયું અને ચોરણો પહેરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરવાં સાથે મતદાન જાગૃતિ મહા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
મતદાન જાગૃતિ માટે તંત્ર દ્વારા અનેક પ્રકારના કદમ ઉઠાવવામાં આવી રહ્યાં છે તેના ભાગરૂપે ઉમરાળાના બી.એલ.ઓ. શ્રી પૂનાભાઇ ખીમાણીએ પરંપરાગત વેશભૂષા ધારણ કરીને લોકોની ચૂંટણીમાં સહભાગીતા વધે તે માટેની આહલેક જગાવી હતી.
અવસર લોકશાહીનો જ્યારે આપણે આંગણે દસ્તક દઇ રહ્યો છે ત્યારે આ પ્રયત્ન લોકો સુધી પહોંચવાનો અને લોકોમાં મતદાર જાગૃતિ લાવવાનો અને તે દ્વારા લોકશાહીને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવાનો છે.
Recent Comments