નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં પ્લે-આધારિત અને ગતિવિધિ આધારિત શિક્ષણને શામેલ કરવામાં આવી છે, રમકડાં ઉદ્યોગમાં છુપાયેલી તાકાતને વધારવી જરૂરી
વડાપ્રધાન મોદીએ શનિવારે ઇન્ડિયા ટૉય ફેર ૨૦૨૧નું વચ્ર્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ હતુ કે, પ્રથમ ટોય ફેર ફક્ત એક વેપારી કે આર્થિક કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ દેશની વર્ષો જૂની ખેલ અને ઉલ્લાસની સંસ્કૃતિને મજબૂત બનાવવાની કડી છે. સિંધુ ઘાટી સંસ્કૃતિ, મોહેં-જાે-દડો અને હડપ્પાના દોરના રમકડાં પર આખી દુનિયાએ સંશોધન કર્યું છે.
પીએમ મોદીએ કહ્યુ કે, પ્રાચીન કાળમાં જ્યારે દુનિયાભરના પ્રવાસીઓ ભારત આવતા હતા ત્યારે, ભારતની રમતોને શીખતા હતા અને સાથે લઈને જતા હતા. આજે ‘ચેસ’ કે જે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે તે ભારતમાં ‘ચતુરંગ’ કે ‘ચાદુરંગા’ના સ્વરૂપમાં રમવામાં આવતી હતી. વડાપ્રધાન કહ્યુ કે, આધુનિક લૂડો ત્યારે ‘પચ્ચીસી’ તરીકે રમવામાં આવતી હતી. આપણા ધર્મગ્રંથોમાં પણ જુઓ, બાલ રામ માટે અલગ અલગ કેટલા રમકડાંનું વર્ણન કરવામાં આવ્યું છે.
પીએમ મોદીએ કહ્યુ કે ફરીથી ઉપયોગ કરવો અને રિસાઇકલિંગ કરવું જે રીતે ભારતીય જીવનશૈલીનો એક હિસ્સો છે, આ વાત આપણા રમકડાંમાં પણ જાેવા મળે છે. મોટાભાગના રમકડાં પ્રાકૃતિક અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી વસ્તુઓમાંથી બને છે. તેમાં ઉપયોગમાં લેવાતા રંગો પણ પ્રાકૃતિક અને સુરક્ષિત હોય છે.
પીએમ મોદીએ કહ્યુ કે, “આજે હું દેશના રમકડાં નિર્માતાઓને અપીલ કરવું છું કે, તમે એવા રકમડાં બનાવો જે અર્થતંત્ર અને માનસશાસ્ત્ર બંને માટે ઉત્તમ હોય. શું આપણે એવો પ્રયાસ કરી શકીએ કે રમકડાંમાં ઓછામાં ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય? એવી વસ્તુઓનો ઉપયોગ કરીએ જેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય.
આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યુ હતે કે, ભારતીય રમકડાં અને રમતોની એ ખાસિયત રહી છે કે તેનાથી જ્ઞાનમાં વધારો થાય છે. તેમાં વિજ્ઞાન પણ હોય છે, મનોરંજન હોય છે અને મનોવિજ્ઞાન પણ હોય છે. દાખલા તારીકે લટ્ટૂની રમત. આ રમત રમતાં બાળકને ગુરુત્વાકર્ષણ અને સંતુલનનો પાઠ શીખવા મળે છે. પીએમ મોદીએ કહ્યુ કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રમત આધારિત અને ગતિવિધિ આધારિત શિક્ષણને મોટા પ્રમાણમાં શામેલ કરાયું છે. આ એક એવી વ્યવસ્થા છે જેમાં બાળકોને કોયડા અને રમતના માધ્યમથી તાર્કિક અને રચનાત્મકતા વધે તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
પીએમ મોદીએ કહ્યુ કે, રમકડાંના ક્ષેત્રમાં ભારત પાસે પરંપરા અને ટેક્નિક પણ છે. આપણે દુનિયાને પર્યાવરણને અનુકૂળ હોય તેવા રમકડાં તરફ વાળી શકીએ છીએ. આપણા સૉફ્ટવેર એન્જીનિયરો કોમ્પ્યુટર ગેમના માધ્યમથી ભારતની કહાનીઓને દુનિયા સુધી પહોંચાડી શકે છે.
પીએમ મોદીએ કહ્યુ કે હવે દેશના રમકડાં ઉદ્યોગને ૨૪ મુખ્ય ક્ષેત્રમાં સ્થાન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રમકડાં કાર્ય યોજના પણ તૈયાર છે. જેમાં ૧૫ મંત્રાલય અને વિભાગ શામેલ છે, જેનાથી દેશ રમકડાં બાબતે આર્ત્મનિભર બને. એટલું જ નહીં, બીજા દેશમાં પણ ભારતના રમકડાની નિકાસ થાય. મોદીએ કહ્યુ કે જાે મેડ ઇન ઇન્ડિયાની માંગ છે તો આજે ભારતમાં હસ્તનિર્મિત વસ્તુઓની પણ માંગ વધી રહી છે. આજે લોકો રમકડાંને ફક્ત એક ઉત્પાદન તરીકે નથી ખરીદતા પરંતુ એ રમકડાં સાથે જાેડાયેલા પોતાના અનુભવ સાથે જાેડાવા માંગે છે. આથી જ આપણે હસ્તનિર્મિત ભારતને પણ આગળ ધપાવવાનું છે.
Recent Comments