રાજ્યમાં વારંવાર જૂથ અથડામણની ઘટના જાેવા મળે છે. આવી જ એક ઘટના વડોદરામાં બની છે. વડોદરાના ન્યાય મંદિર નજીક મોડી રાત્રે બે કોમના લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. સામાન્ય બોલાચાલીમાં બે કોમના લોકો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.પથ્થરમારાને કારણે સમગ્ર વિસ્તારમાં માહોલ તંગ બન્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટોળાને વિખેરી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. એટલું જ નહીં તકેદારીના ભાગરૂપે રાવપુરા સહિતના વિસ્તારમાં પોલીસે નાઇટ પેટ્રોલિંગ કર્યું હતું. તો સંદેવનશીલ વિસ્તારમાં પણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
વડોદરામાં કોર્ટ નજીક સામાન્ય બોલાચાલીમાં બે કોમના લોકો સામસામે આવી ગયા, પથ્થરમારાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

Recent Comments