ગુજરાત

વરાછામાં વેપારીઓએ પ્લેકાર્ડ દર્શાવી અઘોષિત લોકડાઉનનો વિરોધ કર્યો

સુરતના વરાછા વિસ્તારમાં નાના વેપારીઓ સરકારના ર્નિણયની સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. વરાછા વિસ્તારના ૮૦ જેટલા વેપારીઓ પોતાની દુકાનની આગળ પ્લેકાર્ડ રાખીને ઊભા રહી વિરોધ નોંધાવ્યો હતો.પ્લેકાર્ડ પર તેમણે સરકાર કાં તો સંપૂર્ણ પણે લોકડાઉન રાખે અથવા તો બજારો ખુલ્લા કરી દે તેવી માગણી કરી હતી.


છેલ્લા ૧૫ દિવસથી નાની દુકાનો બંધ કરી દેવાતા લોકોની આવક ઉપર મોટી અસર થઈ રહી છે. પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે હવે લોકો માટે પડકારરૂપ સ્થિતિ બની રહી છે. વરાછા વિસ્તારમાં હજારોની સંખ્યામાં કામ કરતી ફેકટરીઓ શરૂ છે. તો બીજી તરફ નાના દુકાનદારોને બંધ રાખવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. નાની દુકાનમાં લોકો વધુ સંખ્યામાં એકત્રિત થતા નથી દુકાનમાં માંડ બે કે ત્રણ લોકો હોય છે. સરકારે આપેલા તમામ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યો હતો છતાં પણ સરકારે દુકાનો બંધ કરાવી રાખે છે.


ભરત ચોવટીયા નામના દુકાનદારે પોતાની વેદના રજૂ કરતા જણાવ્યું કે, દુકાનો બંધ છે. આવકના સ્રોત બંધ થઈ ગયા છે. બીજી તરફ કોર્પોરેશનના ચૂકવવાના તમામ વેરા ચૂકવવા પડી રહ્યા છે. લાઈટ બિલ ચૂકવવું પડી રહ્યું છે ,બાળકો શાળામાં નથી જતા છતાં પણ બાળકોની શાળાની ફી ભરવી પડે છે. આવી સ્થિતિમાં જ્યારે આવક નથી ત્યારે અમે કેવી રીતે આ તમામ રૂપિયાની ચૂકવણી કરીએ.

Related Posts