અમરેલી

વહીવટી તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ અમરેલી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, આઝાદી કા અમૃતમહોત્સવની ઉજવણી નિમિત્તે યોજાનાર જૂનાગઢ ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થશે

અમરેલી વહીવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ એટલે કે ૧૪ ઓગસ્ટના શનિવારે સાંજે ૫.૩૦ કલાકે દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ અમરેલી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સહકાર, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ (સ્વતંત્ર હવાલો), વાહન વ્યવહાર જેવા વિભાગોના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.

દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ જૂનાગઢ ખાતેના રાજ્યકક્ષાના પૂર્વસંધ્યા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાનાં પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, નગરપાલિકા, પંચાયતના હોદેદારો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહેશે.

Related Posts