સૌરાષ્ટ - કચ્છ

વાવઝોડાની અસર / મહુવા માર્કેટિંગ યાર્ડમાં ૧૬ થી ૧૮ મે સુધી તમામ જણસી તેમજ ડુંગળીનું વેચાણ બંધ

ભાવનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા દ્વારા હવામાન વિભાગ દ્વારા ૧૬ મે થી ૧૮ મે દરમ્યાન સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા ડુંગળી લઈને આવતા ખેડૂતો અને વેપારીઓને ૧૬ મે રવિવારથી ૧૮ મે મંગળવાર સુધી યાર્ડમાં તમામ જણસી તેમજ ડુંગળી લાવવા અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, સંભવિત વાવાઝોડાના પગલે ભાવનગર ડીઝાસ્ટર ટીમ દ્વારા દરિયાકાંઠા વિસ્તારોને સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં લો-પ્રેસરના કારણે આગામી ૧૬ મે થી ૧૮ મે દરમ્યાન સંભવિત ‘તૌકતે’ વાવાઝોડું નામનું વાવાઝોડું ત્રાટકવાની સંભવનાને લઈને તંત્ર દ્વારા દરિયાકિનારા વિસ્તારોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે તેમજ જાે વાવાઝોડું ત્રાટકે તો તેને કારણે કોઈ મોટી નુકશાની ના થાય તે માટે તંત્ર દ્વારા પગલાઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી વેચાણ અર્થે લાવતા ખેડૂતો તેમજ વેપારીઓ માટે આગાહીના પગલે ૧૬ મેને રવિવારથી લઇ ૧૮ મેને મંગળવાર સુધી માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ જણસી તેમજ ડુંગળી લાવવા તેમજ વેચાણ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યું છે તેમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવાના સક્રેટરી વી.પી.પાંચણીએ જણાવ્યું હતું.

Related Posts