અમરેલી જિલ્લામાં તાઉ’તે વાવાઝોડાના લીધે મોબાઈલના ટાવરોને મોટાપાયે નુકસાન થયું છે. જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના હાલ કુલ ૮૪૨ મોબાઇલ ટાવરોમાંથી ૧૧૮ જેટલા ટાવર અતિ નુકસાનના કારણે અને ૫૨૨ જેટલા ટાવર લાઈટ ન હોવાના એમ કુલ મળી ૬૪૦ જેટલા બંધ છે. આ બાબતે સબંધિત સર્વિસ પ્રોવાઇડરો સાથે સંકલન સાધી તાત્કાલિક નેટવર્ક પુનઃસ્થાપિત કરવા તંત્રની ટીમો સતત ખડેપગે છે.
વાવાઝોડાના લીધે જિલ્લાના કુલ ૮૪૨ મોબાઇલ ટાવરોમાંથી ૬૪૦ જેટલા બંધ, તાત્કાલિક નેટવર્ક પુનઃસ્થાપિત કરવા તંત્ર ટીમ ખડેપગે

Recent Comments