અમરેલી, લાઠી, બાબરા, લીલીયા, વડિયા અને કુંકાવાવના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વીજપુરવઠો ચાલુ : ફક્ત ૪ ગામો બાકી જે આજે.સાંજ સુધીમાં પૂર્વવત થશેઆવતા મંગળવાર સુધીમાં બગસરા અને ધારીમાં પુનઃ વીજપુરવઠો શરૂ થશેસાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ અને ખાંભાના વિસ્તારોમાં પુરજોશમાં કામ ચાલુ : તા. ૨૮ સુધીમાં પુનઃ વીજપુરવઠો શરૂ કરવાનું આયોજન.૬૬ કેવીના ૭૬ જેટલા સબ સ્ટેશનોને ગંભીર અસર : એક સબસ્ટેશનની કિંમત રૂ. ૨.૫૦ કરોડ.રાજુલા જાફરાબાદ લાઈનના કુલ ૩૪ ટાવરો અને જમીનદોસ્ત : ૧ ટાવરની કિંમત રૂ. ૧૦ લાખ.૨૦ માણસોની ૧ સ્પેશ્યલ ટીમ એવી ૬ ટીમો એટલે કે ૧૨૦ માણસો જ્યારે આખો દિવસ કામ કરે ત્યારે એક દિવસમાં માત્ર ૩ ટાવર ઉભા કરી શકે : માત્ર ફાઉન્ડેશન કરતા એક ટાવરને બે દિવસ લાગે.વાવાઝોડાના લીધે અમરેલી જિલ્લામાં ૬૫ હજાર જેટલા વીજપોલ, ૬૦૦ જેટલા ટ્રાન્સફોર્મરો જમીનદોસ્ત.વાવાઝોડાના ફક્ત પાંચ જ દિવસમાં ૨૭૮ ગામો અને ૭ મોટા શહેરોમાં વીજપુરવઠો પુનઃ કાર્યાન્વિત : બે દીવસમાં ૬૩ સબસ્ટેશનો ચાલુ કરાયા.અમરેલી વીજ વિભાગ તેમજ અન્ય ડિજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ અને ટોરેન્ટ પાવરના કુલ મળી ૪૭૮૯ થી વધુ વિજકર્મીઓ ૨૪૭ થી વધુ વાહનો અને સંસાધનો સાથે હાલ ખડેપગે.
વિનાશક તાઉતે વાવાઝોડાને લીધે સમગ્ર અમરેલી જિલ્લાના વીજપુરવઠાને માઠી અસર થઈ હતી. પરંતુ વીજ વિભાગે વીજગતિએ કામગીરી કરી માત્ર ગણતરીના દિવસોમાં અમરેલી જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં વીજપુરવઠો પૂર્વવત કર્યો છે. જિલ્લાના અમરેલી, લાઠી, બાબરા, લીલીયા, વડિયા અને કુંકાવાવના શહેરી વિસ્તારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ફરી વીજપુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે. આ તાલુકાના ફક્ત ૪ જેટલા ગામો બાકી જે આજે સાંજ સુધીમાં પૂર્વવત થશે. તદુપરાંત આવતા મંગળવાર સુધીમાં બગસરા અને ધારીમાં પુનઃ વીજપુરવઠો શરૂ કરવામાં આવશે.
જિલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ અને ખાંભાના વિસ્તારોમાં વીજપુરવઠો પુનઃ શરૂ કરવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલુ છે. આવતી તા. ૨૮ મે સુધીમાં પુનઃ વીજપુરવઠો શરૂ કરવાનું આયોજન વીજ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
આ વાવાઝોડા દરમિયાન જિલ્લાના વીજ વિભાગને ખૂબ મોટું નુકસાન થયું છે. ૬૬ કેવીના ૭૬ જેટલા સબ સ્ટેશનોને ગંભીર અસર થઈ છે.

Recent Comments