નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકિયા આર્ટસ એન્ડ એમ.આર.સંઘવી કોમર્સ સાવરકુંડલા ખાતે તારીખ ૨૫/૮/૨૦૨૩,શુક્રવારના રોજ એન.એસ.એસ./એન.સી.સી./રેડક્રોસ યુથ ક્લબ વિભાગ દ્વારા ‘સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત સમૂહ સફાઈ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં એન.એસ.એસ./એન.સી.સી/રેડ ક્રોસ વિભાગ ના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ખૂબ ઉત્સાહ અને મહેનતથી કોલેજનું બિલ્ડીંગ, મેદાન, લાયબ્રેરી,સભા ખંડ,બાગ-બગીચો,કોમ્પ્યુટર લેબ સમગ્ર કેમ્પસની સઘન સફાઈ કરી હતી.આ કાર્યક્રમના પ્રારંભમાં કોલેજ સ્ટાફ પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું,ત્યારબાદ કોલેજના આચાર્ય પ્રિ.ડો.એસ.સી.રવિયા એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ આ કોલેજમાં કાર્યરત એવા પાંચ સફાઈ કર્મીઓનું કોલેજ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રો.ડો.એમ.જે.પટોળીયા (એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર)ના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિ.ડો.એસ.સી.રવિયા, વા.પ્રિ.પ્રો.રીન્કુ બેન, ડો.એ.કે.પરમાર, ડો.દિલીપભાઈ ભટ્ટ, ડો. બી.ડી.વરૂ, ડો.પી.ડી.રાણીપા, ડો.હરેશ ભાઈ દેસરાણી, પાર્થભાઈ ગેડિયા, ચૌહાણ વિપુલભાઇ તથા સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા વિશેષ જહેમત ઉઠાવેલ.
વી.ડી.કાણકિયા આર્ટસ એન્ડ એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ – સાવરકુંડલા ખાતે એન.એસ.એસ./એન.સી.સી./ રેડ ક્રોસ યુથ ક્લબ દ્વારા એક દિવસીય ‘સ્વચ્છતા અભિયાન’ કાર્યક્રમ યોજાયો.

Recent Comments