ગુજરાત

વેક્સિનના ૨ ડોઝ લેવા છતાં મેડિકલ કોલેજનો વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયો

કોરોનાનાં કેસોમાં હવે સતત ઉછાળો જાેવા મળી રહ્યો છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થતા રાજ્ય સરકાર ચિંતામાં મુકાઇ ગઇ છે. જાે કે આ વાયરસથી બચવા માટે વેક્સિન આવી ગઇ છે, પરંતુ તેમ છતા કોરોનાનાં કેસો વધી રહ્યા છે. વળી બીજી તરફ આ વેક્સિન પર ભરોસો કરતા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે. જાે કે વેક્સિન પર ભરોસો બતાવવા માટે દેશનાં વડા પ્રધાન મોદીએ આ વેક્સિન લગાવી છે. ઉપરાંત ઘણા દિગ્ગ્જ નેતાઓ આ વેક્સિન લગાવી રહ્યા છે. ત્યારે આ વેક્સિન પર વધુ શંકા જાય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે.

કોરોનાને કાબુમાં મેળવવા માટે લોકોએ તકેદારી અને સરકારનાં નિયમોનું પાલન કરવુ જ પડશે, સાથે પોતાની સલામતી માટે વેક્સિનનાં ડોઝ લેવા પડશે. જાે કે આ વચ્ચે જૂનાગઢમાં બનેલા એક કિસ્સાએ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. અહી એક મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીએ કોરોના વેક્સિનનાં બે ડોઝ લીધા હતા, તેમ છતા તેનો કોરોનાનો રિપોર્ટ

પોઝિટિવ આવ્યો છે. જે લોકો માટે વધુ ચિંતાનું વધુ એક કારણ બન્યુ છે. આપને જણાવી દઇએ કે, કોરોના વેક્સિન માટે દુનિયાભરનાં વૈજ્ઞાનિકો મહેનત કરી રહ્યા હતા, ત્યારે આ કોરોનાનાં તોડ માટે વેેક્સિન જાે કે હવે આવી ગઇ છે. પરંતુ ભારતમાં આજે પણ લોકો આ વેક્સિનને લેવા માટે આના-કાની કરતા જાેવા મળી રહ્યા છે.

Related Posts