સૌરાષ્ટ - કચ્છ

વેરાવળ લોહાણા મહાજન દ્વારા સી.એ ની પરીક્ષા પાસ કરનારના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ દીપક કકકડ,ઉપપ્રમુખ રમેશ ભુપ્તા એ જણાવેલ હતું કે વેરાવળ ભીડીયા સોમનાથ વિસ્તારમાં વસતા વિદ્યાર્થી ભાઈ બહેનોએ સૌથી અધરી ગણાતી પરીક્ષા પાસ કરેલ છે લોહાણા મહાજન દ્વારા જયારે સી.એ ની પરીક્ષા નું પરીણામ આવે છે ત્યારે ફાઈનલ માં પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાંઆવે છે આ વિસ્તારમાં સોથી વધારે વિદ્યાર્થીઓ સી.એ બને તે માટે લોહાણા જ્ઞાતિ ના અગ્રણી તેમ જ સી.એ વિજયભાઈ સુબા અને તેમના પત્ની અમીતાબેન સુબા સેવા આપી રહેલ છે સૌરાષ્ટ્ર,ગુજરાત,મહારાષ્ટ્ર માં જયાં પણ જે વિધાર્થીઓને સી.એના અભ્યાસ માટે જવું હોય તેના માટે સંપુર્ણ માર્ગદર્શન આપે છે તેમજ સ્થાનીક વેરાવળ શહેર માં પણ અભ્યાસ કરાવે છે આ વિસ્તારના વિધાર્થીઓ સૌથી વધુ સીએ બને તે માટે લોહાણા મહાજનપ્રમુખ,ઉપપ્રમુખ, કારોબારી પણ કાર્યરત રહે છે.

તા.૧૨ ને બુધવાર ના રોજ સાજે ૭.૩૦ કલાકે લોહાણા મહાજન વંડી ખાતે ૮ જેટલા વિદ્યાર્થીઓ સીએ બનેલ છે તેનો સન્માન કાર્યક્રમ માં વિદ્યાર્થીઓના પરીવાર સાથે હાજરી આપવા એક યાદીમાં જણાવેલ છે.

Related Posts